Saturday, March 7, 2026
HomeSportsયુવરાજ સિંહના પિતાએ એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા : ધોનીને આટલી...

યુવરાજ સિંહના પિતાએ એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા : ધોનીને આટલી નફરત કેમ કરે છે ?

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ અવરનાર જાહેર પ્લેટફોર્મ પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીની ટીકા કરતારહે છે. યોગરાજે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું ધોનીને માફ નહીં કરું. તેણે પોતાનો ચહેરો અરીસામાં જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર સાથે જે કર્યું તે હવે સામે આવી રહ્યું છે. તેને જીવનમાં ક્યારેય માફ કરી શકાય નહી. મેં જીવનમાં કયારેય કોઈ બાબત બે વાર નથી કરી. પહેલું મારી સાથે જેણે સારું નથી કર્યું, તેને મેં ક્યારેય માફ નથી કર્યા અને બીજું મેં મારા જીવનમાં ક્યારેય તેમને ગળે લગાવ્યા નથી, પછી ભલે તે મારા પરિવારના સભ્યો હોય કે મારા બાળકો. યોગરાજ સિંહે ધોની પર આરોપ લગાવ્યો હતો કે, ‘તેણે જાણી જોઈને યુવરાજની કારકિર્દીમાં દખલગીરી કરી હતી. ધોનીના કેટલાક નિર્ણયોથી યુવરાજની કારકિર્દી ટૂંકી થઇ ગઈ હતી, જે ભારતીય ક્રિકેટ માટે એક મોટી ખોટ હતી. જો ધોનીએ દખલ ન કરી હોત તો યુવરાજ વધુ 4-5 વર્ષ રમી શક્યો હોત. 2011ના વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પહેલા બેટિંગ કરવાના ધોનીના નિર્ણયે યુવરાજના ગૌરવની ક્ષણ છીનવી હતી.’ધોની અને યુવરાજ વચ્ચેની તકરાર ફક્ત માત્ર પ્રોફેશનલ કારણો પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તે વ્યક્તિગત પણ છે. યોગરાજે કહ્યું હતું કે, ‘ધોનીએ આત્મમંથન કરવાની જરૂર છે અને તેને અરીસામાં પોતાનો ચહેરો જોઈને પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ. યુવરાજ સાથે તેણે અન્યાય કર્યો છે, એટલે હું ક્યારેય તેને માફ નહીં કરું. તેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેની અને ધોની વચ્ચે કડવાશ ઘણી ઊંડી છે.’

જીવનશૈલી અને સાંસ્કૃતિક મૂલ્યોનો તફાવત :

યોગરાજે ધોનીની જીવનશૈલી અને તેના સાંસ્કૃતિક મૂલ્યોને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ધોનીની ટીકા કરતાં તેમણે કહ્યું કે, ‘તે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે પાર્ટીઓમાં હાજરી આપે છે, જે મારા મૂલ્યોની વિરુદ્ધ છે. ધોનીનું આ પ્રકારનું વર્તન નેશનલ આઇકોન તરીકે તેની ફરજો સાથે મેળ ખાતું નથી. તેમના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેમની અને ધોની વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક વિચારધારામાં તફાવત છે.’

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here