Wednesday, June 4, 2025
HomeIndiaરાહુલ ગાંધીના સંભલમાં હિંસા મામલે ભાજપ પર પ્રહાર : પક્ષપાત અને ઉતાવળમાં...

રાહુલ ગાંધીના સંભલમાં હિંસા મામલે ભાજપ પર પ્રહાર : પક્ષપાત અને ઉતાવળમાં કાર્યવાહી કરી

Date:

spot_img

Related stories

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

એસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ...

ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્વિસ મિલિટરીએ ગુજરાતના સુરતમાં તેનું પહેલું...

26 દેશોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ સુલભ બનાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ...

મિન્ત્રાના બહુપ્રતિક્ષિત ઇઓઆરએસ ની 22મી આવૃત્તિ હવે 10,000+ બ્રાન્ડ્સની...

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા,...

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ...

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે...
spot_img

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદમાં રવિવારે સરવેથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતા મોટી બબાલ થઇ હતી. ભીડને વેર વિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો. તેમજ પોલીસે જણાવ્યું કે આ હિંસા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારામાં ચાર લોકોના મોત થયા હતા અને કુલ 20 લોકો ઘાયલ થયા હતા.

રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા :
આ મામલા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે X પર લખ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશ સંભલના તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે.’આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે, ‘તમામ પક્ષોને સાંભળ્યા વિના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું અને ઘણા લોકોના મોત થયા – જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપનો સત્તાનો ઉપયોગ હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો છે. તેઓ રાજ્ય કે દેશના હિતમાં કામ કરતા નથી.’રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરે અને ન્યાય કરે. મારી અપીલ છે કે શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે.’ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ વધેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભલ તહસીલમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સોમવારે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય જિલ્લામાં ભારતીય ન્યાયિક સંહિતા 163 હેઠળ 30 નવેમ્બર સુધી પ્રતિબંધિત આદેશ લાદવામાં આવ્યો છે. જે અંતર્ગત 30મી નવેમ્બર સુધી જિલ્લામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

એસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ...

ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્વિસ મિલિટરીએ ગુજરાતના સુરતમાં તેનું પહેલું...

26 દેશોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ સુલભ બનાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ...

મિન્ત્રાના બહુપ્રતિક્ષિત ઇઓઆરએસ ની 22મી આવૃત્તિ હવે 10,000+ બ્રાન્ડ્સની...

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા,...

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ...

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here