Sunday, March 8, 2026
HomeIndiaરાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ ખતમ કરી રહ્યા...

રાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ ખતમ કરી રહ્યા છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની રાજકીય ગરમી પકડી લીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપના શાસનમાં બેકારી વધી છે. પીએમ મોદી ભારતમાંથી રોજગારીની તકો જ ખતમ કરી રહ્યા છે. હરિયાણાના યુવાનો ખેતર વેચીને કે વ્યાજે રુપિયા લઈને અમેરિકા જઈ રહ્યા છે. હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પછી સરકાર કોંગ્રેસની જ બનશે તેવો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસનું વાવાઝોડું ફરી વળશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે હરિયાણાને ખતમ કરી નાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હું તાજેતરમાં અમેરિકા ગયો ત્યાં હરિયાણાના ૧૫થી ૨૦ યુવાનોને મળ્યો હતો. તેઓ ડલ્લાસમાં એક જ રૂમમાં રહેતા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા જવું હોય તો ૩૫ લાખ રુપિયા આપવા પડે છે. તેઓ આ રકમ ખેતર વેચીને અથવા તો ઊંચા વ્યાજે લે છે.મેં તેમને જણાવ્યું કે તેઓ આટલી રકમમાં અહીં કારોબાર કેમ ન કરી શકે.

તેઓએ જણાવ્યું હતું કે હરિયાણામાં આટલી રકમમાં કશું કરવું શક્ય નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આમ ૫૦ લાખ રુપિયા હોય તો પણ હરિયાણામાં નાનો વેપારી ધંધો શરૂ કરી શકતો નથી. આમ ભાજપ સરકાર નાના વેપારીઓને ખતમ કરી રહી છે. તે ફક્ત ૨૫ ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે. ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડના દેવા માફ કરી દીધા છે અને તેની સામે ખેડૂતોની મૂડી પણ છીનવી લીધી છે.તેમણે જણાવ્યું હતું કે સરકારની બધી જ સંસ્થાઓ પર આરએસએસનો કબ્જો છે અને તેનું સંચાલન નાગપુરથી થાય છે. ભાજપની આ સરકાર ખેડૂતો માટે ખેતીના કાળા કાયદા લાવી હતી. ખેડૂતોના પ્રબળ વિરોધના પગલે તેણે આ કાયદા રદ કરવા પડયા. તે ખેડૂતોને હજી પણ એમએસપીનું વચન આપતી નથી. અમે ખેડૂતોને એમએસપીનું વચન આપીએ છીએ. મહિલાઓને પ્રતિ માસે બે હજાર રુપિયાનું વચન આપીએ છીએ અને તેમને ગેસનું સિલિન્ડર ૫૦૦ રુપિયામાં આપવાનું વચન આપીએ છીએ.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here