Friday, June 5, 2026
HomeIndiaરાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ ખતમ કરી રહ્યા...

રાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ ખતમ કરી રહ્યા છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની રાજકીય ગરમી પકડી લીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપના શાસનમાં બેકારી વધી છે. પીએમ મોદી ભારતમાંથી રોજગારીની તકો જ ખતમ કરી રહ્યા છે. હરિયાણાના યુવાનો ખેતર વેચીને કે વ્યાજે રુપિયા લઈને અમેરિકા જઈ રહ્યા છે. હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પછી સરકાર કોંગ્રેસની જ બનશે તેવો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસનું વાવાઝોડું ફરી વળશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે હરિયાણાને ખતમ કરી નાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હું તાજેતરમાં અમેરિકા ગયો ત્યાં હરિયાણાના ૧૫થી ૨૦ યુવાનોને મળ્યો હતો. તેઓ ડલ્લાસમાં એક જ રૂમમાં રહેતા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા જવું હોય તો ૩૫ લાખ રુપિયા આપવા પડે છે. તેઓ આ રકમ ખેતર વેચીને અથવા તો ઊંચા વ્યાજે લે છે.મેં તેમને જણાવ્યું કે તેઓ આટલી રકમમાં અહીં કારોબાર કેમ ન કરી શકે.

તેઓએ જણાવ્યું હતું કે હરિયાણામાં આટલી રકમમાં કશું કરવું શક્ય નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આમ ૫૦ લાખ રુપિયા હોય તો પણ હરિયાણામાં નાનો વેપારી ધંધો શરૂ કરી શકતો નથી. આમ ભાજપ સરકાર નાના વેપારીઓને ખતમ કરી રહી છે. તે ફક્ત ૨૫ ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે. ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડના દેવા માફ કરી દીધા છે અને તેની સામે ખેડૂતોની મૂડી પણ છીનવી લીધી છે.તેમણે જણાવ્યું હતું કે સરકારની બધી જ સંસ્થાઓ પર આરએસએસનો કબ્જો છે અને તેનું સંચાલન નાગપુરથી થાય છે. ભાજપની આ સરકાર ખેડૂતો માટે ખેતીના કાળા કાયદા લાવી હતી. ખેડૂતોના પ્રબળ વિરોધના પગલે તેણે આ કાયદા રદ કરવા પડયા. તે ખેડૂતોને હજી પણ એમએસપીનું વચન આપતી નથી. અમે ખેડૂતોને એમએસપીનું વચન આપીએ છીએ. મહિલાઓને પ્રતિ માસે બે હજાર રુપિયાનું વચન આપીએ છીએ અને તેમને ગેસનું સિલિન્ડર ૫૦૦ રુપિયામાં આપવાનું વચન આપીએ છીએ.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here