Sunday, June 15, 2025
HomeGujaratAhmedabadલગ્નજીવનનો પાયો સહનશક્તિ પણ પત્નીના પરિજનો રાઈને પહાડ બનાવે છે : ગુજરાત...

લગ્નજીવનનો પાયો સહનશક્તિ પણ પત્નીના પરિજનો રાઈને પહાડ બનાવે છે : ગુજરાત હાઈકોર્ટ

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે પતિ અને તેના પરિવારજનો સામે પત્નીએ નોંધાવેલી દહેજ ઉત્પીડન અંગેની ફરિયાદ રદબાતલ ઠરાવી. હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જણાવ્યું હતું કે, ‘સહનશક્તિ એ લગ્નજીવનમાં પાયો હોવો જોઈએ. પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, પત્નીના પરિવારજનો રાઈનો પહાડ બનાવી દેતા હોય છે.’

જાણો શું છે સમગ્ર મામલો :
હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ અવલોકન કરતાં જણાવ્યું કે, ‘લગ્નજીવનની બગડેલી પરિસ્થિતિને સુધારવા અને લગ્નજીવનને ભચાવવાના બદલે તે માટેના શક્ય તમામ પ્રયાસો કરવાને બદલે અજ્ઞાનતાના કારણે અથવા પતિ તથા તેના પરિવારના સભ્યો પ્રત્યે તીવ્ર દ્વેપના કારણે તેમની ક્રિયા નજીવી બાબતોમાં લગ્નજીવનનો સંપૂર્ણ અંત લાવે છે. પત્ની તેના માતા-પિતા અને સંબંધીઓ પ્રથમ પ્રતિભાવમાં ઘણી વખત પોલીસનો સંપર્ક કરે છે. તેઓ એવું ધારે છે કે, પોલીસ તેમની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. પરંતુ પોલીસ જેવી સમસ્યામાં સામેલ થાય છે ત્યારે તે લગ્નજીવનના બંને સાથીઓ વચ્ચે સમાધાનની વાજબી તકોને કરી શકે છે.’જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જણાવ્યું હતું કે, ‘શુદ્ધ લગ્નજીવનની પાયો સહનશીલતા, સમાધાન અને એકબીજાનો આદર છે. એકબીજાના દોષ પરત્વે અમુક હદ સુધી સહનશીલતા દરેક લગ્નમાં સહજ હોવી જ જોઈએ. ક્ષુલ્લક વાતો, તુચ્છ મતભેદો સાંસારિક બાબતો છે અને તેમાં અતિશયોક્તિ ના કરવી જોઈએ. સ્વર્ગમાં જે બન્યુ હોવાનું કહેવાય છે તેનો નાશ કરવા પ્રમાણની બહાર પરપોટા ફોડવા જોઈએ નહીં. જો કોર્ટને ખાતરી કે, મહિલાએ દ્વેષપૂર્ણ હેતુ સાથે પતિ અને તેના નજીકના સબંધીઓની સંડોવણી કરી છે તો પછી એફઆઇઆર કે ચાર્જશીટ કોગ્નીઝેબલ ગુનાનો ખુલાસો કરે છે. પરંતુ કોર્ટે હિતમાં નોંધપાત્ર રીતે બીટવીન્સ ધ લાઇનમાં દ્વેષપૂર્ણ હેતુને વાંચવો જોઈએ અને તે બાબતે વ્યવહારિક દ્રષ્ટિકોણ લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિને ગુનાહિત વર્તણૂંકની કોઈ બાબતો પર લાવ્યા વિના કેટલાક સામાન્ય અને વ્યાપક આરોપો પર ફોજદારી ટ્રાયલનો સામનો કરવો પડે છે તો તે કોર્ટની પ્રક્રિયાના દૂરપયોગ સિવાય બીજું કંઈ નથી. કોર્ટની ફરજ છે કે, તે ફરિયાદમાં મૂકવામાં આવેલા આરોપોને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા માટે સંપૂર્ણપણે તપાસે અને આરોપોમાં સત્યતા છે કે કેમ..? અને તે માત્ર અમુક વ્યક્તિઓને સંડોવવાના એકમાત્ર ઉદેશ સાથે કરવામાં આવી છે કે કેમ તે શોધી કાઢે. ખાસ કરીને જ્યારે લગ્નજીવનના વિવાદમાં આ પ્રકારની કાર્યવાહી થાય છે.’હાઈકોર્ટે એફઆઈઆરના આરોપોની ગંભીર નોંધ લેતાં જણાવ્યું કે, ‘આ કેસમાં લગ્નજીવનનો વિવાદ પતિ-પત્ની વચ્ચે હોવાનું જણાય છે અને હંમેશાની જેમ પતિના પરિવારના તમામ સભ્યોને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ તથ્યોની તપાસ કર્યા પછી પત્ની દ્વારા નોંધાવાયેલી આ ફરિયાદ બીજુ કંઈ નથી. પરંતુ કાયદાકીય પ્રક્રિયાની સરેઆમ દૂરપયોગ છે. જે તેને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો તે, કાયદાકીય પ્રક્રિયાના તેના દૂરપયોગસમાન અને ન્યાયની કસુવાવડ સંબંધીઓની સમાન લેખાશે. આ મહત્ત્વપૂર્ણ અવલોકનો સાથે હાઇકોર્ટે પતિ અને તેના સંબંધીઓ સામે નોંધાયેલી એફઆઈઆર અને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવી હતી અને પતિ તથા તેના સંબંધીઓની અરજી મંજૂર કરી હતી.’

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here