Friday, June 26, 2026
HomeGujaratAhmedabadલગ્નજીવનનો પાયો સહનશક્તિ પણ પત્નીના પરિજનો રાઈને પહાડ બનાવે છે : ગુજરાત...

લગ્નજીવનનો પાયો સહનશક્તિ પણ પત્નીના પરિજનો રાઈને પહાડ બનાવે છે : ગુજરાત હાઈકોર્ટ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે પતિ અને તેના પરિવારજનો સામે પત્નીએ નોંધાવેલી દહેજ ઉત્પીડન અંગેની ફરિયાદ રદબાતલ ઠરાવી. હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જણાવ્યું હતું કે, ‘સહનશક્તિ એ લગ્નજીવનમાં પાયો હોવો જોઈએ. પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, પત્નીના પરિવારજનો રાઈનો પહાડ બનાવી દેતા હોય છે.’

જાણો શું છે સમગ્ર મામલો :
હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ અવલોકન કરતાં જણાવ્યું કે, ‘લગ્નજીવનની બગડેલી પરિસ્થિતિને સુધારવા અને લગ્નજીવનને ભચાવવાના બદલે તે માટેના શક્ય તમામ પ્રયાસો કરવાને બદલે અજ્ઞાનતાના કારણે અથવા પતિ તથા તેના પરિવારના સભ્યો પ્રત્યે તીવ્ર દ્વેપના કારણે તેમની ક્રિયા નજીવી બાબતોમાં લગ્નજીવનનો સંપૂર્ણ અંત લાવે છે. પત્ની તેના માતા-પિતા અને સંબંધીઓ પ્રથમ પ્રતિભાવમાં ઘણી વખત પોલીસનો સંપર્ક કરે છે. તેઓ એવું ધારે છે કે, પોલીસ તેમની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. પરંતુ પોલીસ જેવી સમસ્યામાં સામેલ થાય છે ત્યારે તે લગ્નજીવનના બંને સાથીઓ વચ્ચે સમાધાનની વાજબી તકોને કરી શકે છે.’જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જણાવ્યું હતું કે, ‘શુદ્ધ લગ્નજીવનની પાયો સહનશીલતા, સમાધાન અને એકબીજાનો આદર છે. એકબીજાના દોષ પરત્વે અમુક હદ સુધી સહનશીલતા દરેક લગ્નમાં સહજ હોવી જ જોઈએ. ક્ષુલ્લક વાતો, તુચ્છ મતભેદો સાંસારિક બાબતો છે અને તેમાં અતિશયોક્તિ ના કરવી જોઈએ. સ્વર્ગમાં જે બન્યુ હોવાનું કહેવાય છે તેનો નાશ કરવા પ્રમાણની બહાર પરપોટા ફોડવા જોઈએ નહીં. જો કોર્ટને ખાતરી કે, મહિલાએ દ્વેષપૂર્ણ હેતુ સાથે પતિ અને તેના નજીકના સબંધીઓની સંડોવણી કરી છે તો પછી એફઆઇઆર કે ચાર્જશીટ કોગ્નીઝેબલ ગુનાનો ખુલાસો કરે છે. પરંતુ કોર્ટે હિતમાં નોંધપાત્ર રીતે બીટવીન્સ ધ લાઇનમાં દ્વેષપૂર્ણ હેતુને વાંચવો જોઈએ અને તે બાબતે વ્યવહારિક દ્રષ્ટિકોણ લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિને ગુનાહિત વર્તણૂંકની કોઈ બાબતો પર લાવ્યા વિના કેટલાક સામાન્ય અને વ્યાપક આરોપો પર ફોજદારી ટ્રાયલનો સામનો કરવો પડે છે તો તે કોર્ટની પ્રક્રિયાના દૂરપયોગ સિવાય બીજું કંઈ નથી. કોર્ટની ફરજ છે કે, તે ફરિયાદમાં મૂકવામાં આવેલા આરોપોને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા માટે સંપૂર્ણપણે તપાસે અને આરોપોમાં સત્યતા છે કે કેમ..? અને તે માત્ર અમુક વ્યક્તિઓને સંડોવવાના એકમાત્ર ઉદેશ સાથે કરવામાં આવી છે કે કેમ તે શોધી કાઢે. ખાસ કરીને જ્યારે લગ્નજીવનના વિવાદમાં આ પ્રકારની કાર્યવાહી થાય છે.’હાઈકોર્ટે એફઆઈઆરના આરોપોની ગંભીર નોંધ લેતાં જણાવ્યું કે, ‘આ કેસમાં લગ્નજીવનનો વિવાદ પતિ-પત્ની વચ્ચે હોવાનું જણાય છે અને હંમેશાની જેમ પતિના પરિવારના તમામ સભ્યોને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ તથ્યોની તપાસ કર્યા પછી પત્ની દ્વારા નોંધાવાયેલી આ ફરિયાદ બીજુ કંઈ નથી. પરંતુ કાયદાકીય પ્રક્રિયાની સરેઆમ દૂરપયોગ છે. જે તેને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો તે, કાયદાકીય પ્રક્રિયાના તેના દૂરપયોગસમાન અને ન્યાયની કસુવાવડ સંબંધીઓની સમાન લેખાશે. આ મહત્ત્વપૂર્ણ અવલોકનો સાથે હાઇકોર્ટે પતિ અને તેના સંબંધીઓ સામે નોંધાયેલી એફઆઈઆર અને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવી હતી અને પતિ તથા તેના સંબંધીઓની અરજી મંજૂર કરી હતી.’

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here