Friday, March 14, 2025
HomeGujaratવડોદરાઃ પત્નીને મેસેજ કર્યો, ‘હું આપઘાત કરવા જાઉં છું’, પછી પુત્ર સાથે...

વડોદરાઃ પત્નીને મેસેજ કર્યો, ‘હું આપઘાત કરવા જાઉં છું’, પછી પુત્ર સાથે નદીમાં ઝંપલાવ્યું

Date:

spot_img

Related stories

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...
spot_img

વડોદરાના કરોડિયા ગામમાં રહેતા ખાનગી ટ્યૂશન ક્લાસના સંચાલકે તેમના એકના એક પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલાં પતિએ પત્નીને મેસેજ છોડી કહી કહ્યું હતું કે, તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.ગોરવાના કરોડિયા ગામના 38 વર્ષીય હરીશ પરમાર ધોરણ 5થી 10ના ટ્યૂશન ક્લાસ ચલાવતા હતા. તેમનો એકનો એક 13 વર્ષીય સમર્થ ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. સોમવારે હરીશ પરમારે પત્ની મીતાને કહ્યું હતું કે, તે બહાર જઈ રહ્યો છે. આટલું કહી હરીશ પુત્ર સમર્થને લઈને બહાર જતા રહ્યા હતા.જોકે બાદમાં હરીશે પત્નીના મોબાઇલ પર મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘દેવું વધી ગયું હોવાથી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.’ પત્નીને મેસેજ કરી હરીશે પુત્ર સાથે મહિસાગર નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.જોકે પતિએ કરેલો મેસેજ વાંચ્યો ન હોવાથી પત્ની અને અન્ય પરિવારજનો બંનેની મોડી રાત સુધી રાહ જોઈ રહ્યાં હતાં અને આખરે તેમણે ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ-પુત્ર ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે પણ અરજીના આધારે શોધખોળ શરૂ કરી હતી. જોકે શનિવારે વડોદરા નજીક સિંધરોટ ચેક ડેમ પાસેથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને પિતાપુત્ર ચોથી જૂનથી લાપતા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરી છે કે, હરીશે દેવું વધી જવાને લીધે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે.હજી તો બે દિવસ પહેલાં જ વડોદરાના પરિવારે ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી હતી. મકરપુરામાં રહેતા 55 વર્ષીય અરવિંદકાંત ત્રિવેદી, તેમનાં પત્ની હિના અને 23 વર્ષના પુત્ર હર્નિલના મૃતદેહ પાવાગઢ-શિવરાજપુર રોડ પર ભાટ ગામ પાસેથી તેમની કારમાંથી મળી આવ્યા હતા

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here