Sunday, February 23, 2025
HomeGujaratવડોદરાના રહીશોએ ગાંધી જયંતી પર કર્યું દારૂનું જાહેરમાં વેચાણ, દારૂની ચુંગાલમાંથી બચાવવા...

વડોદરાના રહીશોએ ગાંધી જયંતી પર કર્યું દારૂનું જાહેરમાં વેચાણ, દારૂની ચુંગાલમાંથી બચાવવા તંત્રને કરી અપીલ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ગુજરાતમાં કાગળ ઉપર ચાલતી દારૂબંધીના વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજાના રહીશોએ ધજાગરા ઉડાવ્યા છે. 150મી ગાંધીજયંતિના દિવસે સાંજના સમયે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ (પ્રતીકાત્મક રીતે) કર્યું હતું. અને ગામને દેશી દારૂની ચુંગાલમાંથી બચાવવા માટે પોલીસ તંત્રને અપીલ કરી હતી. દારૂબંધીના ધજાગરા ઉડાડતા આ કાર્યક્રમમાં માસુમ બાળકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ માણેજા વિસ્તારમાં 30 થી 35 જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે.

માણેજા વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમે છે દેશી દારૂના 30 થી 35 જેટલા અડ્ડાઓ

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજા વિસ્તારમાં પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના 30 થી 35 જેટલા અડ્ડાઓ સામે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએજ દેશી દારૂના વેચાણના સ્ટોલ ઉભા કરીને શહેર પોલીસ તંત્ર અને ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા.

માણેજા વિસ્તારના અનેક લોકો ચડી ગયા છે દેશી દારૂના રવાડે

સ્થાનિક જીતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, માણેજા વિસ્તારમાં 30 થી 35 જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. સ્થાનિકો દ્વારા મકરપુરા પોલીસને વારંવાર રજુઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. માણેજા વિસ્તારના અનેક લોકો દેશી દારૂના રવાડે ચડી ગયા છે. અને અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. માણેજામાં તપાસ કરવામાં આવે તો ખબર પડે કે, ગુજરાતમાં ખરેખર દારૂ બંધી છે ?તેઓએ જણાવ્યું હતું કે, આજે મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને અમને પણ સારો કાર્યક્રમ કરીને ઉજવવાની ઇચ્છા થાય છે. પરંતુ, માણેજા વિસ્તારમાં માઝા મૂકી રહેલા દારૂના અડ્ડાઓથી માણેજા ગામના અને આસપાસના વિસ્તારના લોકો ત્રાસી ગયા છે. આથી માણેજા ગામના રહીશોએ એકત્ર થઈ જાહેર માર્ગ પર ખુલ્લે આમ દેશી દારૂની પોટલિયો વહેંચી વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.

દારૂની ચુંગાલમાંથી બચાવવા માટે અમો પોલીસ તંત્રને કરી અપીલ

સ્થાનિક નિધી પરમાર નામની 15 વર્ષની તરૂણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 થી વધુ વર્ષોથી માણેજામાં દેશી દારૂનું વેચાણ થાય છે. જો બુટલેગરો પોલીસની રહેમનજર દારૂનું વેચાણ કરી શકતા હોય તો અમે ખુલ્લે આમ કેમ વેચાણ ન કરી શકીએ. અમારા વિસ્તારનું યુવાધન દેશી દારૂના રવાડે ચડી ગયું છે. અમારા ગામ અને વિસ્તારને દેશી દારૂની ચુંગાલમાંથી બચાવવા માટે અમો પોલીસ તંત્રને અપીલ કરીએ છે.મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિએ માણેજા ગામના સ્થાનિકોએ પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. અને દેશી દારૂ બંધ કારોના સૂત્રોચ્ચાર કરી દારૂની પોટલિયો રોડ પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. માણેજા ગામના લોકોના આ કાર્યક્રમે ભારે ચકચાર જગાવી મૂકી હતી. એટલુંજ નહીં આ કાર્યક્રમમાં બાળકો પણ જોડાયા હતા અને માણેજામાં દેશી દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી.

news/MGUJ-VAD-HMU-LCL-maneja-villagers-opposed-liquor-selling-gujarati-news-5965318-PHO.html?ref=ht&seq=3
news/MGUJ-VAD-HMU-LCL-maneja-villagers-opposed-liquor-selling-gujarati-news-5965318-PHO.html?ref=ht&seq=3

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here