Sunday, February 23, 2025
HomeSportsCricketવિન્ડિઝનો ભારત સામે કારમો પરાજય, પ્રથમ વનડેમાં ઘણા રેકોર્ડ સર્જાયા, કુલદીપ યાદવ...

વિન્ડિઝનો ભારત સામે કારમો પરાજય, પ્રથમ વનડેમાં ઘણા રેકોર્ડ સર્જાયા, કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં 114 રન જ બનાવી શકી

ભારતે માત્ર 22.5 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો

ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચોની વનડે સીરિઝની પ્રથમ વનડેમાં પાંચ વિકેટે હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. ભારતે માત્ર 22.5 ઓવરમાં જ 115 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. 

ભારતીય ટીમે ટેસ્ટ બાદ વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 45 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે શિમરોન હેટમાયર અને કેપ્ટન શાઈ હોપ વચ્ચે 43 રનની ભાગીદારી થઈ હતી પણ ટીમે છેલ્લી સાત વિકેટ 26 રનમાં ગુમાવી દીધી હતી અને  23 ઓવરમાં 114 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગમાં સાત બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા ન હતા. 

વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

ભારતે બેટિંગ લાઈન અપમાં ઘણા ફેરફાર કર્યા

ભારતીય ટીમને 115 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. ભારતીય ટીમે ઓછા ટાર્ગેટને જોતા બેટિંગ લાઈન અપમાં પણ આશ્ચર્યજનક ફેરફારો કર્યા હતા જેમાં ઈશાન કિશનને શુભમન ગિલ સાથે ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે સૂર્યકુમાર ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પાંચ વિકેટ પડી ગયા બાદ પણ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો ન હતો, જ્યારે કેપ્ટન રોહિત સાતમા નંબરે બેટિંગ કરી હતી. ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં આ સતત નવમો વિજય હતો. આ વનડે મેચમાં 4 વિકેટ લેનાર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here