Sunday, March 8, 2026
Homenationalશિવસેનાના શિવશાહી કેલેન્ડરમાં બાળાસાહેબ ઠાકરેના નામ આગળ ઉર્દૂ શબ્દ ‘જનાબ’ લગાડવામાં આવ્યો

શિવસેનાના શિવશાહી કેલેન્ડરમાં બાળાસાહેબ ઠાકરેના નામ આગળ ઉર્દૂ શબ્દ ‘જનાબ’ લગાડવામાં આવ્યો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઈ: હિન્દુત્વના નારા સાથે રાજકારણમાં ઝંપલાવનારી શિવસેનાની મહારાષ્ટ્રનું શાસન મળ્યા બાદ બદલાયેલી ભૂમિકા ઘણાંને આંચકો આપનારી છે અને તેથી સાથીપક્ષ ભાજપ તેમના આ બદલાયેલા સ્વરૂપને વખોડવાનો એક પણ મોકો છોડતી નથી. શિવસેનાના શિવશાહી કેલેન્ડરમાં બાળાસાહેબ ઠાકરેના નામ આગળ ઉર્દૂ શબ્દ ‘જનાબ’ લગાડવામાં આવ્યો છે. હિન્દુહૃદય સમ્રાટ તરીકે જાણીતા બાળ ઠાકરેના નામ આગળ આ શબ્દથી ભાજપ ભડકી છે. આ સાથે આચાર્ય તુષાર ભોંસલેએ પણ ટીકા કરી હતી અને ‘હિન્દુહૃદય સમ્રાટથી જનાબ બાળાસાહેબ ઠાકરે. અઝાન સ્પર્ધા બાદ શિવસેનાની આ પ્રશંસનીય કમગીરી બદલ માનનીય બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને તેમની ખાસ શૈલીમાં અભિનંદન કરું છું’. તેવી ટ્વીટ કરી તેમણે ઠાકરે પરિવાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો ભાજપના નેતા અતુલ ભાતખળકરે શિવસેનાને તેનું અગાઉનું નિવેદન યાદ અપાવ્યું હતું અને કેલેન્ડર સાથે ટ્વીટ કરી હતી કે શિવસેનાને હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી. શિવશાહીના આ કેલેન્ડરમાં ઉપરની બન્ને બાજુએ શિવસેના અને યુવાસેના લખેલું છે. આ કેલેન્ડર મરાઠી, અંગ્રેજી અને ઉર્દુમાં પણ છે. કેલેન્ડરમાં અંગ્રેજી મહિનાની બાજુમાં ઈસ્લામિક મહિનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અને ઉપરની બાજુ બાળ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના નામ આગળ જનાબ લગાડવામાં આવ્યું છે.

અગાઉ શિવસેનાએ ધાર્મિક સ્થળો ખોલવાની છૂટછાટ ન આપતા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ તેમને પત્ર લખ્યો હતો અને તેમના હિન્દુત્વ બાબતે સવાલો કર્યા હતા. ઠાકરેએ તેમને લતો પત્ર લખી હિન્દુત્વ સાબિત કરવા માટે અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, તેમ લખ્યું હતું. થોડા દિવસો પહેલા શિવસેનાના દક્ષિણ મુંબઈ એકમે અઝાન માટેની સ્પર્ધા યોજી હતી, જેમાં પછીથી સેનાના સ્થાનિક નેતાએ પાછીપાની કરી લીધી હતી. ૨૫ વર્ષની શિવસેના અને ભાજપની યુતિને ભગવી યુતિ તરીકે ઓળખવામાં આવે છે. રામ મંદીરથી માંડી ઘણાં મુદ્દે શિવસેનાએ હિન્દુ ધર્મ મામલે વધારે આક્રમક અભિગમ દર્શાવ્યો છે. હાલમાં તેઓ કૉંગ્રેસ અને એનસીપી સાથે મહારાષ્ટ્રમાં સત્તામાં છે અને બન્ને બિનસાંપ્રદાયિક પક્ષ હોવાથી સેનાએ આક્રમકતા છોડવાની ફરજ પડી રહી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here