Saturday, April 19, 2025
Homenationalસરદાર પટેલના સ્મારકના બાંધકામમાં ચીની ટેક્નૉલૉજી વપરાઈઃ રાજ ઠાકરે

સરદાર પટેલના સ્મારકના બાંધકામમાં ચીની ટેક્નૉલૉજી વપરાઈઃ રાજ ઠાકરે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રાજ્યના ખેડૂતોના આપઘાતના સિલસિલાના ઉકેલ જેવા વિષયો હાથ ધરવાને બદલે બંધારણની ૩૭૦મી કલમ રદ કરવા જેવા મુદ્દા પર ચૂંટણી લડવા બદલ મનસેના નેતા રાજ ઠાકરેએ બીજેપીની ટીકા કરી હતી. થાણેના ભિવંડી અને કલ્યાણમાં પક્ષના ઉમેદવારો માટે ચૂંટણીની પ્રચારસભાને સંબોધતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રના માર્ગોની બદતર હાલત બાબતે બીજેપી શા માટે ચૂપ છે?
મહારાષ્ટ્રના મતદારોને સંબંધિત ન હોય એવા વિષયો બીજેપીના નેતાઓ હાથ ધરતા હોવાનું રાજ ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું. બીજેપીના પ્રમુખ અમિત શાહ રાજ્યની પ્રચાર સભાઓમાં બંધારણની ૩૭૦મી કલમ રદ કરવાના સરકારના યશના ગુણગાન મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગાયા કરે છે, કારણકે તેઓ મોટી સમસ્યાઓ પરથી મતદારોનું ધ્યાન ફંટાવવા ઇચ્છે છે. ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટક્યો નથી. રાજ્યના દરેક જિલ્લાના રસ્તા પર ખાડા પડ્યા છે. એ રસ્તાનાં સમારકામ માટે તમામ તંત્રો બેદરકાર છે.’
રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ગુજરાતમાં સ્થપાઈ ગયાને ઘણો વખત થઈ ગયો, પરંતુ હજી સુધી મુંબઈ પાસે અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક શા માટે બંધાયું નથી? બીજેપી એક તરફ ચીની માલના બહિષ્કારની હાકલો કરે છે અને બીજી બાજુ સરદાર પટેલની પ્રતિમા ચીની બનાવટથી ઊભી કરે છે. મુંબઈ અને પાડોશી શહેરો અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનાં ધાડાંની સમસ્યાથી પરેશાન છે. મેં બિહાર અને ઉત્તર પ્રદેશથી રોજ આવી પડતા લોકો બાબતે પ્રશ્ન ઊભો કર્યો ત્યારે બીજેપી તથા અન્ય પક્ષોએ કાગારોળ મચાવી મૂકી. ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના વીસ હજાર લોકોને હાંકી કાઢવામાં આવ્યા, એ બાબતે કોઈએ કઈં ન કહ્યું. જનતાના પ્રશ્નો માટે સૌથી વધારે આંદોલનો કરનાર એકમાત્ર પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના છે.’

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here