Monday, April 21, 2025
HomeIndiaસુરક્ષાદળોની મોટી કાર્યવાહી, જમ્મુમાં સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર...

સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, જમ્મુમાં સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર માર્યા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

Major Action By Security Forces: જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આજે વહેલી સવારે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી અને હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, હવે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળે હાલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સોમવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે આતંકવાદીઓએ સવારે સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. જો કે, હજુ સુધી હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી મળ્યા. સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકવાદીઓ પહેલા મંદિરમાં ઘૂસી ગયા હતા એક મૂર્તિને ખંડિત કરી હતી. પરંતુ ત્યાં હાજર લોકોને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. ત્યાંથી ભાગતી વખતે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના અખનૂર શહેરના જોગવાન વિસ્તારમાં સોમવારે સવારે સૈન્યની એક એમ્બ્યુલન્સ જઈ રહી હતી. ત્યારે આતંકવાદીઓના એક જૂથે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને સેના એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here