Thursday, June 25, 2026
HomeIndiaસુરક્ષાદળોની મોટી કાર્યવાહી, જમ્મુમાં સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર...

સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, જમ્મુમાં સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર માર્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Major Action By Security Forces: જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આજે વહેલી સવારે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી અને હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, હવે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળે હાલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સોમવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે આતંકવાદીઓએ સવારે સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. જો કે, હજુ સુધી હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી મળ્યા. સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકવાદીઓ પહેલા મંદિરમાં ઘૂસી ગયા હતા એક મૂર્તિને ખંડિત કરી હતી. પરંતુ ત્યાં હાજર લોકોને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. ત્યાંથી ભાગતી વખતે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના અખનૂર શહેરના જોગવાન વિસ્તારમાં સોમવારે સવારે સૈન્યની એક એમ્બ્યુલન્સ જઈ રહી હતી. ત્યારે આતંકવાદીઓના એક જૂથે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને સેના એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here