Sunday, April 20, 2025
HomeGujaratસુરતઃ સેલ્ફીના ચક્કરમાં 4 યુવાનો રાંદેર કોઝ વેમાં પડ્યા, 2ના મોત અન્ય...

સુરતઃ સેલ્ફીના ચક્કરમાં 4 યુવાનો રાંદેર કોઝ વેમાં પડ્યા, 2ના મોત અન્ય ગંભીર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સેલ્ફીનો શોખ જીવલેણ સાબીત થાય છે તે અનેકવાર પુરવાર થઈ ચૂક્યું છે તેમ છતા કેટલાક લોકો ગફલતમાં રહી જાય છે. ત્યારે સુરતના રાંદેર ખાતે આવેલ કોઝ-વેમાં ચાર મિત્રો ફરવા ગયા હતા જે દરમિયાન સેલ્ફી લેવાના પ્રયાસમાં કોઝવેમાં પડી ગયા હતા. પાણીનું વહેણ વધુ હોવાથી ડુબવા લાગ્યા હતા. આ અકસ્માતમાં ડૂબી જવાના કારણે 2ના મોત થયા હતા જ્યારે અન્ય બે યુવાનોની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.રાંદેર કોઝ વે ખાતે ફરવા ગયેલા ચાર મિત્રો કોઝ વેના કીનારે બાંધવામાં આવેલ દોરી પકડીને સેલ્ફી લઈ રહ્યા હતા. જે દરમિયાન દોરી તૂટી જા બે યુવકો પાણીમાં પડ્યા હતા. જેને બચાવવા અન્ય બે યુવાનો પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ચારેય મિત્રો એક પછી એક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. અને બચાવો બચાવોની બુમાબુમ કરી રહ્યા હતા. જેથી ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન પડતા તેમણે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતા બે યુવાનને બચાવવામાં સફળતા મળી હતી.તમામ યુવાનો સુરતના નવાપુરામાં આવેલ હબિબશાહ રોડ પરના રહેવાસી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.ડૂબતા કિશોરો એસ્સાર સ્ટીલની ક્રેનના ઓપરેટર સુરજદેવ સિંહે(50) પોતાના જીવની પરવાહ કર્યા વગર બચાવ્યા હતા. તેમણે કહ્યું કે બે યુવાનોને તો બચાવી શક્યો પરંતુ અન્ય બે યુવાનોને ન બચાવી શક્યાનો અફસોસ જીવનભર રહેશે. જ્યારે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હર્ષદ ભાવસારે(47) પણ 2 કિશોરોને બચાવવામાં મદદ કરી હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here