Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadપીએમ વેલ્ફેર સ્કીમના નામે કરતા હતા ઠગાઈ, 8ની ધરપકડ

પીએમ વેલ્ફેર સ્કીમના નામે કરતા હતા ઠગાઈ, 8ની ધરપકડ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...
OLYMPUS DIGITAL CAMERA

દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં નકલી કોલ સેન્ટર ચલાવતા 8 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. આરોપીઓ વિરુદ્ધ થયેલી એક ફરિયાદના આધારે તમામ ઠગની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેઓ પ્રધાનમંત્રી કલ્યાણ યોજનાના નામે ખોટા ફોન કરી લોકો પાસેથી પૈસા પડાવવાનું કરોડોનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે આરોપીઓ પ્રધાનમંત્રી કલ્યાણ યોજના અંતર્ગત લોન આપવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. આ મામલે વધુ શખ્સો પણ સંડોવાયેલા હોવાની આશંકાએ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હીમાં તપાસ કરી રહી છે. નંદકિશોર સિન્હા નામના એક શખ્સે કરેલી ફરિયાદના આધારે 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.પિતાનો અકસ્માત થયા બાદ નંદકિશોર સિન્હાએ લોન લેવા માટે કેટલીક વેબસાઈટ ચેક કરી હતી. દરમિયાન સિન્હાને એક ફોર્મ મળ્યું હતું જેમાં નામ, ફોન નંબર સહિતની ડિટેલ માંગી હતી. ફોર્મ ભર્યાના થોડા દિવસ બાદ નંદકિશોર સિન્હાને એક ફોન કોલ આવ્યો હતો અને પ્રધાનમંત્રી કલ્યાણ યોજના અંતર્ગત લોન આપવાનો વાયદો કર્યો હતો.સિન્હા પાસેથી લોનની પ્રોસેસ કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ મંગાવી હતી અને ઈ-મેઈલ દ્વારા સિન્હાનો ફોટો મંગાવ્યો હતો. પ્રોસેસિંગ ફી, એડવાન્સ ઈન્સ્ટોલમેન્ટ અને લોન ટ્રાન્સફર ફી સહિતની ફી મળીને સિન્હા પાસેથી કુલ 1.39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. લોન રિજેક્ટ થવા પર પણ 15600 રૂપિયા માંગવામા આવ્યા ત્યારે સિન્હાને ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ફેક કોલ સેન્ટર ચલાવતા 8ની ધરપકડ કરી લીધી છે જેમને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here