Sunday, February 23, 2025
HomeGujaratસુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં 10 વર્ષના બાળકની...

સુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં 10 વર્ષના બાળકની આત્મહત્યા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાંથી વાલીઓને સાવધાન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પોતાના જ નાના ભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. બાળકના આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ રોઠાડ પોતાના ચાર બાળકો સાથે રહે છે. ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે. દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં અને પતંગ ચગાવી રહ્યા હતાં. જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાનને પતંગ દોરો ન આપતાં તે નારાજ થઈ ગયો. નજીવી બાબતે નારાજ થઈ બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતાં તેઓ મજૂરી કામ મૂકી તુરંત ઘરે દોડી આવ્યા હતાં. ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં. જોકે, હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકની આત્મહત્યાની પોલીસને જાણ થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.હાલ પોલીસ પરિવારજન તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, ખરેખર આ આત્મહત્યા છે કે, કોઈના દ્વારા તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, સાચી માહિતી પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સામે આવી શકશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here