Saturday, May 10, 2025
HomeGujaratસુરતમાં વરસાદે 3 લોકોનાં જીવ લીધા, 100થી વધુ વૃક્ષ ધરાશયી

સુરતમાં વરસાદે 3 લોકોનાં જીવ લીધા, 100થી વધુ વૃક્ષ ધરાશયી

Date:

spot_img

Related stories

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...
spot_img

રવિવારે સવારે સુરત શહેરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાને કારણે 3 લોકોનાં મોત થયા હતા અને અલગ અલગ વિસ્તારોમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સુરતના ડભોલી વિસ્તારમાં તાપી નદીની પાળ પર સુઈ રહેલા 31 વર્ષીય પ્રકાશ દાસ પર વહેલી સવારે લગભગ 4 વાગ્યે ઝાડ પડતા તેમનું મૃત્યુ થયુ હતું. પાંડેસરાના ગણપત નગરમાં રહેતા 32 વર્ષીય ઉમાશંકર શ્યામ પાત્રા વિનાયક નગર પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ પ્રમાણે, ઉમાશંકર સ્લિપ થઈને જમીન પર પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા ત્યારપછી મોઢામાં પાણી અને કીચડ જવાને કારણે ગુંગળામણને કારણે તેમનું મોત થયું છે.કલ્યાણનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય નયના રાઠોડ ઙર નજીક આવેલી કચરાપેટીમાં કચરો નાખવા જતા હતા ત્યારે રસ્તા પરના તૂટેલા વાયરનો કરંટ લાગવાને કારણે તેમનું મૃત્યુ થયુ હતું. આ સિવાય વાવાઝોડાને કારણે કોઈ ભારે વસ્તુ પડવાને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકો સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.શહેરમાં લગભગ 110 વૃક્ષો ઉખડી ગયા હતા અને અનેક વીજળીના અમુક થાંભલા પણ પડી ગયા હતા. વહેલીસવારે 3થી 4 વાગ્યા દરમિયાન લગભગ એક કલાક વરસાદ અને વાવાઝોડુ ચાલ્યુ હતું. SMCના ફ્લડ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શહેરમાં 22mm વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નુકસાન રાંદેર વિસ્તારમાં થયું છે. આ સિવાય ઝાડ પડવાને કારણે અને લાઈટના થાંભલા પડી જવાને કારણે જહાંગીરપુરા, વણાકળા, પાલ અને ભાટા વિસ્તારમાં લાઈટ જતી રહી હતી.દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL)ની ટીમ દ્વારા આ વિસ્તારોમાં ડેમેજ થયેલા કેબલ રીપેર કરવામાં આવ્યા હતા. અમુક વિસ્તારોમાં રવિવારે સાંજે લાઈટ આવી હતી. ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અઠવામાં 20 ઝાડ, ઉધનામાં 11, વરાછામાં 20, શહેરના સેન્ટ્રલ ઝોનમાં 10 અને કટારગામમાં 9 વૃક્ષો ધરાશયી થયા હતા.

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here