Sunday, February 23, 2025
HomeGujaratસુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે તંત્ર લાચાર

સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે તંત્ર લાચાર

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર અકસ્માત માટે બસ ડ્રાઈવરનું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે પરંતુ તેની સાથે સાથે બીઆરટીએસ રૂટમાં બેફામ વાહનો દોડાવી રહેલા વાહન ચાલકો પણ જવાબદાર છે. આજે ફરી એકવાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો માટે કુખ્યાત એવા ડભોલી રૂટમાં બે બસ વચ્ચે ખાનગી વાહનો ફસાયેલા જોવા મળ્યા હતા. જોકે, આવા વાહન ચાલકો સામે પાલિકા કે પોલીસ કોઈ કામગીરી કરતી ન હોય બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ વધી રહ્યું છે.સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે પાલિકાએ ચાર કરોડ કરતાં વધુના ખર્ચે સ્વીંગ ગેટ મુક્યા હતા. જોકે, માવજતના અભાવે સ્વિંગ ગેટ બંધ થઈ ગયા હતા. સ્થાયી સમિતિની સૂચના બાદ આ સ્વીંગ ગેટ ફરી શરૂ કરી દેવાયા છે પરંતુ પાલિકા અને એજન્સી વચ્ચે પડેલી ગુંચને કારણે હજી સુધી તમામ સ્વીંગ ગેટ શરૂ થયા નથી જેનો લાભ કેટલાક ખાનગી વાહનો ઉઠાવીને બીઆરટીએસ રૂટમાં બેરોકટોક ઘુસી રહ્યાં છે. આજે પણ ડભોલીના રુટમાં આવા અનેક ખાનગી વાહનો ઘુસી ગયાં હતા.

સુરતના ઉધના રોડ બાદ બીઆરટીએસ રૂટમાં વાહનો દોડાવવામાં વરાછા અને કતારગામ ઝોનના વિસ્તાર આવે છે. આજે ડભોલી ખાતે એક બસ બંધ પડી જતાં પાછળથી બીજી બસ આવી ગઈ હતી અને આ બે વસ વચ્ચે અનેક ટુ વ્હીલર પણ ફસાયા હતા. આવા વાહન ચાલકોને પાલિકા કે પોલીસ પાઠ ભણાવતો નથી પરંતુ આજે બનેલી ઘટનાના કારણે લાંબો સમય સુધી વાહન ચાલકો ફસાતા તેમને પાઠ મળ્યો છે. આ દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકાએ આ દુષણ રોકવા માટે સીસી કેમેરા પણ મુક્યા છે. પરંતુ તેનો પણ ઉપયોગ થતો નથી. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ બીઆરટીએસ રૂટમાં દોડતા ખાનગી વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી લોકો બેફામ વાહનો બીઆરટીએસ રૂટમાં દોડાવી રહ્યા છે. પાલિકા અને પોલીસ સાથે સાથે ખાનગી વાહન ચાલકોની પણ ગંભીર બેદરકારી હોવાના કારણે બીઆરટીએસ રૂટમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here