Tuesday, August 25, 2026
HomeGujaratસુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે તંત્ર લાચાર

સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે તંત્ર લાચાર

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર અકસ્માત માટે બસ ડ્રાઈવરનું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે પરંતુ તેની સાથે સાથે બીઆરટીએસ રૂટમાં બેફામ વાહનો દોડાવી રહેલા વાહન ચાલકો પણ જવાબદાર છે. આજે ફરી એકવાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો માટે કુખ્યાત એવા ડભોલી રૂટમાં બે બસ વચ્ચે ખાનગી વાહનો ફસાયેલા જોવા મળ્યા હતા. જોકે, આવા વાહન ચાલકો સામે પાલિકા કે પોલીસ કોઈ કામગીરી કરતી ન હોય બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ વધી રહ્યું છે.સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે પાલિકાએ ચાર કરોડ કરતાં વધુના ખર્ચે સ્વીંગ ગેટ મુક્યા હતા. જોકે, માવજતના અભાવે સ્વિંગ ગેટ બંધ થઈ ગયા હતા. સ્થાયી સમિતિની સૂચના બાદ આ સ્વીંગ ગેટ ફરી શરૂ કરી દેવાયા છે પરંતુ પાલિકા અને એજન્સી વચ્ચે પડેલી ગુંચને કારણે હજી સુધી તમામ સ્વીંગ ગેટ શરૂ થયા નથી જેનો લાભ કેટલાક ખાનગી વાહનો ઉઠાવીને બીઆરટીએસ રૂટમાં બેરોકટોક ઘુસી રહ્યાં છે. આજે પણ ડભોલીના રુટમાં આવા અનેક ખાનગી વાહનો ઘુસી ગયાં હતા.

સુરતના ઉધના રોડ બાદ બીઆરટીએસ રૂટમાં વાહનો દોડાવવામાં વરાછા અને કતારગામ ઝોનના વિસ્તાર આવે છે. આજે ડભોલી ખાતે એક બસ બંધ પડી જતાં પાછળથી બીજી બસ આવી ગઈ હતી અને આ બે વસ વચ્ચે અનેક ટુ વ્હીલર પણ ફસાયા હતા. આવા વાહન ચાલકોને પાલિકા કે પોલીસ પાઠ ભણાવતો નથી પરંતુ આજે બનેલી ઘટનાના કારણે લાંબો સમય સુધી વાહન ચાલકો ફસાતા તેમને પાઠ મળ્યો છે. આ દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકાએ આ દુષણ રોકવા માટે સીસી કેમેરા પણ મુક્યા છે. પરંતુ તેનો પણ ઉપયોગ થતો નથી. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ બીઆરટીએસ રૂટમાં દોડતા ખાનગી વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી લોકો બેફામ વાહનો બીઆરટીએસ રૂટમાં દોડાવી રહ્યા છે. પાલિકા અને પોલીસ સાથે સાથે ખાનગી વાહન ચાલકોની પણ ગંભીર બેદરકારી હોવાના કારણે બીઆરટીએસ રૂટમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here