Monday, February 24, 2025
HomeGujaratAhmedabadસૌરાષ્ટ્ર ઘણા પંથકમાં મેઘો મહેરબાન, ખેડૂત ખુશખુશાલ

સૌરાષ્ટ્ર ઘણા પંથકમાં મેઘો મહેરબાન, ખેડૂત ખુશખુશાલ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સૌરાષ્ટ્રનાં ડેમોમાં નવા નીરની આવક થતાં કેટલાક ડેમો છલકાયા : ભારે વરસાદને લઈ આજી-૨ ડેમ ઓવરફ્‌લો
અમદાવાદ, તા.૩
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના પંથકોમાં મેઘરાજાની મહેરબાની વરસી રહી છે અને વરસાદી માહોલને લઇ ચોમાસાની જારદાર જમાવટ છે. સતત વરસાદના કારણે સૌરાષ્ટ્રનાં મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક પંથકોમાં તો, ભારે વરસાદનાં પગલે કેટલાક ડેમો ઓવરફ્‌લો પણ થઈ ગયા છે. બીજીબાજુ, રાજકોટમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને લઈને આજે કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના અલગ અલગ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. રાજકોટ શહેરના ત્રણેય ઝોનના તમામ વિસ્તારોમાં રસ્તાનાં મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, મોરબી રોડ પર તૂટેલી ડી.આઈ.પાઈપલાઈન રીપેરિંગ, કોઠારિયા વિસ્તારમાં પાણી નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રાકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના લલુડી વોંકળી, પોપટપરા, વેસ્ટ ઝોનમાં વામ્બે આવાસ યોજના, બી.આર.ટી.એસ., ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લલુડી વોંકળી વિસ્તારમાં ૮૦ ફૂટ રોડ પરથી વરસાદી પાણી આવે છે. જે ધોબી ચોક થઈને લલુડી વોંકળી વિસ્તારમાં આવે છે. ત્યાં ટીપી રોડ છે અને વરસાદી પાણીના નિકાલ માટે જગ્યા મળે તો આર.સી.સી.ની પાકી ચેનલ બનાવવા અન્યથા ટીપી સ્કીમ વેરિએશન માટે કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ આ એરીયામાં જે.સી.બી.ની મદદ સાથે સત્વરે સફાઈ કામગીરી શરૂ કરાવા, પોપટપરા નાલામાં ભરાતા પાણીના નિકાલ માટે સાઈડમાં એસ્કેવેશન-જરૂરી ખોદકામની કામગીરી શરૂ કરવા સૂચના આપી છે. ભાદર ડેમની ઊંડાઈ ૩૪ ફૂટ છે. જેમાં હાલની સપાટી ૧૫ ફૂટ પહોંચી ગઈ છે. આજી-૧ ડેમની સપાટી ૨૯ ફૂટ છે. જેમાં હાલની સપાટી ૧૭.૫૦ ફૂટ પહોંચી ગઈ છે. આજી-૨ ડેમની સપાટી ૩૦.૧૦ ફૂટની છે, જેમાં હાલની સપાટી ૨૮.૧૦ ફૂટ પહોંચી ગઈ છે. ન્યારી-૧ ડેમની સપાટી ૨૫.૧૦ ફૂટ છે, જેમાં હાલની સપાટી ૧૪.૮૦ ફૂટ પહોંચી ગઈ છે. ન્યારી-૨ ડેમની સપાટી ૨૦.૭૦ ફૂટ છે, જેમાં હાલની સપાટી ૧૯.૭૦ ફૂટ પહોંચી ગઈ છે. ભારે વરસાદને લઈને આજી-૨ ડેમ ઓવરફ્‌લો થયો હતો. પરંતુ આગામી દિવસોમાં વરસાદનાં પગલે ડેમનું પાણી બહાર ન જાય એ માટે ગઈકાલે ૫ દરવાજા ખોલી ૨ ફૂટ પાણી છોડવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાનાં જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસરથી શેત્રુંજી ડેમની સપાટી ૧૬ ફૂટને આંબી ગઈ હતી. શેત્રુંજી ઉપરાંત જસપરા માંડવા અને ઉતાવળી ગુંદા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. પાણીની આવકને લીધે શેત્રુંજી ડેમની સપાટી ગઈકાલે ૧૩.૯ ફૂટ હતી તે વધીને ૧૬ ફૂટે પહોંચી ગઈ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here