Sunday, April 20, 2025
HomeGujarat0 વર્ષે પાણીમાંથી બહાર આવેલા હાંફેશ્વર મંદિર જતી બોટ પર પ્રતિબંધ

0 વર્ષે પાણીમાંથી બહાર આવેલા હાંફેશ્વર મંદિર જતી બોટ પર પ્રતિબંધ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

જય પછીગર, વડોદરા: કાવાંટ તાલુકાના હાંફેશ્વર ગામમાં આવેલા પૌરાણિક શિવ મંદિર જતી બોટ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઘટતા માર્ચ મહિનામાં આ મંદિરનો ગુંબજ બહાર આવ્યો હતો. લગભગ બે દશકથી જળમગ્ન આ મંદિરના દર્શન કરવા લોકો ત્યાં જવા માંડ્યા હતા.બોટિંગનું પ્રમાણ વધી જતા, પહેલી જૂનના રોજ કલેક્ટર દ્વારા કાવાંટના મામલતદારને સૂચના આપી હતી કે તે સરપંચને ઓર્ડર મોકલે કે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોટિંગ બંધ કરી દેવામાં આવે. જિલ્લા કલેક્ટર સુજલ જણાવે છે કે, બોટચાલકો સુરક્ષાને ધ્યાનમાં રાખ્યા વિના લોકોને ત્યાં લઈ જતા હતા અને ત્યાં પાણી પણ ઉંડુ છે. જો કોઈ અકસ્માત સર્જાય તો ત્યાં બચાવકાર્ય પણ મુશ્કેલ બની જાય. માટે અમે ત્યાં જવા પર પ્રતિબંધ મુક્યો છે.મણે વધુમાં જણાવ્યું કે આદેશનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે ચેક કરવા માટે મામલતદારને ત્યાંની મુલાકાત લેવાનું પણ કહેવામાં આવ્યું છે. જો કે રવિવાર સાંજ સુધી ત્યાં બોટિંગ ચાલુ હતુ. વડોદરા નિવાસી એડવોકેટ હર્ષદ પરમારે રવિવારે મંદિરની મુલાકાત લીધી ત્યારે બોટ ચાલુ હતીએડવોકેટ પરમારે જણાવ્યું કે, મેં બોટના માલિક પાસે લાઈફ જેકેટ માંગ્યું પણ તેમની પાસે લાઈફ જેકેટની સુવિધા નહોતી. ત્યાંના સ્થાનિકોએ મને જણાવ્યું કે મંદિર તરફ બોટની અવરજવર શરુ થયા પછી નર્મદાના કિનારે અનેક ખાણીપીણીની દુકાનો શરુ થઈ છે અને અમુક લોકો અહીં દેશી દારુ પણ વેચે છે.ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં નર્મદામાં જળસપાટી ઘટવાને કારણે મંદિરનો ગુંબજ સિવાય બીજો અને પહેલો માળ પણ બહાર આવ્યો હતો. નદીના કિનારાથી આ પૌરાણિક મંદિર સુધી બોટમાં જતા 25 મિનિટનો સમય લાગે છે. લગભગ 20 વર્ષ પહેલા આ મંદિર જળમગ્ન થયુ હતું, ત્યારે ગામના લોકોએ મૂર્તિની નજીકના ગામમાં નવા મંદિરમાં સ્થાપના કરી હતી

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here