Saturday, June 14, 2025
Homenational5 મહિનાથી બંધ છે આ નેશનલ હાઈવે, કારણ છે ખેડૂતો, લોકોની મુશ્કેલી...

5 મહિનાથી બંધ છે આ નેશનલ હાઈવે, કારણ છે ખેડૂતો, લોકોની મુશ્કેલી ફરી વધશે, સરકાર શું કરી રહી છે?

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

હરિયાણાના અંબાલામાં કિસાન આંદોલનને કારણે છેલ્લા 5 મહિનાથી દિલ્હી-અમૃતસર હાઈવે બંધ છે. હરિયાણા-પંજાબ બોર્ડરને અલગ કરતી ઘગ્ગર નદીના એક કિનારે ખેડૂતો ઉભા છે, તો સામેની બાજુ અર્ધલશ્કરી દળો ઉભા છે. જેના કારણે શંભુ બોર્ડર પરનો આ રસ્તો 5 મહિનાથી સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે બંધ છે. અહીં રોજબરોજના કામકાજ તેમજ નોકરી કરવા જતા લોકોને આવવા- જવા માટે ઘગ્ગર નદીના કિનારે બનાવેલા પાકા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ, હાલમાં ખરાબ સમાચાર એ છે કે, હવે આ રસ્તો પણ બંધ થવાનો છે. જેના કારણે સ્થાનિક લોકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
ઘગ્ગર નદીમાં પાણીનો વધારો થતા પુલ અને રસ્તાઓ બંધ

હાલમાં પંજાબ, હરિયાણા અને હિમાચલમાં ચોમાસું બરોબર જામ્યું છે. ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘગ્ગર નદીમાં સતત પાણીનો વધારો થવાથી પુલ અને આસપાસના કાચા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામવાસીના જણાવ્યા પ્રમાણે, રોજબરોજ નોકરી માટે જતા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ હવે લોકોને એવો પણ ડર સતાવી રહ્યો છે કે, જો વરસાદ બાદ ઘગ્ગર નદીમાં પાણી વધી જશે તો, લોકો નોકરીએ કેવી રીતે જશે. જો કે, હવે થોડા સમયમાં જ ઘગ્ગર નદીમાં પાણીનું સ્તર વધશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ મામલે કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે: એસપી અંબાલા

જો કે, હરિયાણાથી પંજાબ જવા માટે આમ તો બીજા ઘણા પાકા હાઈવે છે, પરંતુ અંબાલા અને શંભુની નજીકના ગામો અને આસપાસના વિસ્તારોમાંથી મુસાફરી કરવા માટે લોકો પાકા રસ્તાઓનો ઉપયોગ કરે છે. અને જો લોકો બીજા રસ્તા પરથી જાય, તો તેમને 40 થી 50 કિલોમીટરની વધુ મુસાફરી કરવી પડશે. એસપી અંબાલા સુરેન્દ્ર સિંહે કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે, અને આ મામલે કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, હું હાલમાં જ જોડાયો છે, અને મેં આ અંગેની તમામ માહિતી માંગી છે. વાતચીત બાદ આ સમસ્યાનો ઉકેલ લાવીશું.

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here