Friday, July 17, 2026
HomeGujaratAhmedabadરાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનોનું વિદેશ અભ્યાસનું સપનું થયું

રાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનોનું વિદેશ અભ્યાસનું સપનું થયું

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯ કરોડની લોન અપાઈ

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતાં અર્ચિતાબેન હાલ કેનેડામાં અને બોપલમાં રહેતા સાર્થકભાઈ ફ્રાન્સની યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી સફળતાની કેડી કંડારી રહ્યા છે

વિશેષ અહેવાલ
આલેખન – કુલદીપસિંહ સોલંકી

જીવનમાં દરેક માણસનું કંઇ ને કંઇ ધ્‍યેય હોય છે, નાનપણથી જ દિલ અને દિમાગમાં કોઇ સપનું સજાવેલુ હોય છે. આ સપના ત્‍યારે જ સાકાર થાય છે, જ્યારે પૂરતી મહેનત કરવામાં આવી હોય તે સાથે કોઇની હૂંફ, માર્ગદર્શન અને યોગ્ય સમયે મદદ મળે. આપણે વાત કરવી છે અનુસૂચિત જાતિના એવા તેજસ્વી તારલાઓની કે જેમણે રાજ્ય સરકારની આર્થિક સહાયથી વિદેશમાં ભણવાના અરમાનો પૂરા કર્યા છે.

અમદાવાદ જિલ્‍લાના ઘાટલોડિયા વિસ્તાર ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી પ્રવીણભાઈની દીકરી અર્ચિતાબેન બીઈ (કમ્પ્યૂટર એન્જિનિયરનો કોર્સ)નો અભ્યાસ અમદાવાદથી પૂર્ણ કર્યો હતો. અર્ચિતાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી માતા-પિતાનું સપનું સાકાર કરવું હતું. ધ્‍યેયને સિદ્ધ કરવા માટે સાહસની પણ જરૂર પડતી હોય છે. ગ્રેજ્યુએશન બાદ માસ્ટર ડિગ્રી કરવા માટે તેને વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી. અર્ચિતાના પિતાશ્રી પ્રવીણભાઈએ દીકરીને વિદેશ ભણાવવાની ખૂબ ઇચ્છા હતી. એટલે અર્ચિતાને કેનેડાની કોનેસ્ટોગા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી અને તેમાં એડમિશન પણ મળી ગયું. આ સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં તપાસ કરી. ત્યાંથી તેમને જાણકારી મળી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકારશ્રી દ્વારા સાવ નજીવા વ્‍યાજના દરે રૂ. ૧૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. અર્ચિતાએ પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર ૪ ટકાના વ્‍યાજ દરની રૂ. ૧૫ લાખની લોન મળતાં હાલ તે કેનેડાની કોનેસ્ટોગા યુનિવર્સિટીમાં આઇ.ટી.ના બીજા વર્ષમાં એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્‍યાસ કરી રહી છે.

અર્ચિતાના પિતા પ્રવીણભાઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારી દીકરી કેનેડા વિદેશ અભ્યાસ માટે ગઇ છે. અને ડૉ. બાબાસાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ સમાજ કલ્યાણ કચેરીમાંથી અમને રૂ.૧૫ લાખની લોન મળી છે. જેથી મારી દીકરી વિદેશમાં અભ્યાસ કરવા જઈ શકી છે. અને સરકારે અમારા સપના અને અરમાનો પૂરા કર્યા છે એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અર્ચિતા આજે કેનેડામાં અભ્યાસ કરી રહી છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.

અમદાવાદ નજીક શેલા ખાતે રહેતા સાર્થકભાઈ ને પણ વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું હતું અને તેને પૂર્ણ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા. કોલેજના ગ્રેજ્યુએશન પછી વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા સાર્થકે સમાજ કલ્યાણ ખાતામાં જાતે જ તપાસ કરી અને વિદેશમાં અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા લોન મળતી હોવાની જાણકારી મેળવી હતી. ત્યારબાદ જરૂરી અરજી પ્રક્રિયા અને ડોક્યુમેન્ટેશન બાદ તેને રૂ. ૧૫ લાખની લોનની સહાય મળતાં તે આજે નેન્ટેસ, ફ્રાન્સમાં સ્થિત ઓડેન્સિયા બિઝનેસ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.

સાર્થકનાં માતા સ્વાતિબહેને જણાવ્યું કે, વિદેશમાં અભ્યાસ માટે મારા દીકરા સાર્થકે જાતે જ બધી તપાસ કરી હતી અને લોન માટેની પ્રક્રિયા પણ તેણે કરી હતી. અમને સમાજ કલ્યાણ ખાતામાંથી રૂ. ૧૫ લાખની લોનની સહાય મળી હતી. સરકાર તરફથી લોનની સગવડ મળી એ સારી વાત છે. આ લોનથી મારો દીકરો વિદેશ જઇ શક્યો છે અને દોઢ વર્ષથી ફ્રાન્સમાં આવેલી ઓડેન્સિયા બિઝનેસ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો અને આ લોન થકી જ મારા દીકરાનું વિદેશમાં ભણવાનું સપનું પૂરું થયું છે.

ગુજરાતનો અનુસૂચિત જાતિનો યુવાન પણ વિદેશમાં ભણી- ગણીને પોતાના સપના સાકાર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખની લોન આપવામાં આવે છે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોના વિકાસ માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. સમાજ કલ્યાણ ખાતાની લોન લઇને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫-૧૫ લાખ લેખે નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી દ્વારા રૂ. ૧૫.૩૯ કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ આર્થિક મદદથી આ વિદ્યાર્થીઓએ વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ પૂરો કરી સફળતાની કેડી કંડારી છે. રાજયમાં આવા તો સંખ્‍યાબંધ વિદ્યાર્થીઓએ રાજય સરકારની મદદથી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કર્યું છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

• રહેઠાણના પુરાવા (રેશનકાર્ડ,વીજળી, બિલ,લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ)
• અરજદારની જાતિ/ પેટા જાતિનો દાખલો.
• શાળા છોડ્યાનો દાખલો
• શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
• વિદ્યાર્થીનું સોગંધનામું (અસલમાં)
• પાસપોર્ટ
• વિઝા
• એર ટિકિટ
• લોન ભરપાઈ કરવા અંગે પાત્રતાનો દાખલો
• રૂ.૧૦૦ ના સ્ટેમ્પ પર જમીનદારનું જમીનખાતાનો નમૂનો પરિશિષ્ટ -ગ
• મિલકતના વેલ્યુએશન રિપોર્ટ
• મિલકતના આધાર (તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્ડેક્સ રજૂ કરવી)
• બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ/રદ કરેલ ચેક (અરજદારનું નામું)
• આ યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી
• વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલા હોય તેના પુરાવા.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here