Sunday, February 23, 2025
Homenational500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નોટબંધી લાગુ થયાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દેશમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટ બદલવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ ચોર દરવાજાથી આ ગોરખધંધો હજુ પણ ચાલી રહ્યો છે. ગાજિયાબાદ પોલીસે આવી જ એક ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી અંદાજીત એક કરોડ રૂપિયાની જૂની નોટો પકડી પાડી છે. આ રૂપિયા કાર મારફતે નેપાળ લઈ જવામાં આવતા હતાએસએસપી વૈભવ કૃષ્ણના મતે, પોલીસને સોમવારે રાત્રે બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કારમાં મોટી માત્રામાં જૂની કરન્સી લઈને જઈ રહ્યા છે. પોલીસે પૂજા કટ પાસે આ બંને કારને પકડી પાડી હતી. જેમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી.આ મામલે પોલીસને માહિતી મળી કે આ એક કરોડ રૂપિયાના બદલમાં 10 લાખ રૂપિયા મળવાના હતા. આ રકમ નેપાળ પહોંચ્યા બાદ મળતી હતી. રૂપિયા પહોંચાડનારાઓને ત્રણથી ચાર ટકા કમિશન મળતું હતું.પકડાયેલા આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું કે આ ઓર્ડર પૂરો કર્યા બાદ તેમને 200 કરોડ રૂપિયાની નોટો બદલવાનો ઓર્ડર મળવાનો હતો. જેના માટે 100 કાર અને માણસોની વ્યવસ્થા કરવા માટે કહી દીધું હતું.આરોપીઓએ જણાવ્યું હતું કે ભારતમાં જૂની કરન્સી બદલવાનો સમય પૂરો થઈ ગયો છે. બીજી તરફ નેપાળમાં આ કામ થઈ શકે છે. મળી રહેલી જાણકારી મુજબ પર્યટક દ્વારા અંદાજીત 950 કરોડ રૂપિયાની જૂની નોટો નેપાળમાં આવેલી છે. નેપાળે આ નોટો બદલવા માટે ભારતને વાત કરી છે. ભારત તરફથી તેનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે. નેપાળનું કહેવું છે કે આ કરન્સી એક સાથે નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ છૂટકમાં આવેલી છે. બીજી તરફ નેપાળ રાષ્ટ્ર બેંક તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ આરબીઆઈએ પ્રતિ વ્યક્તિ સાડા ચાર હજાર રૂપિયા બદલવાની મૌખિક સહમતી આપી છે. જોકે હજુ સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે આ જૂની કરંસી બદલવાની તક હજુ પણ રહેલી છે. જેનો ફાયદો આ પ્રકારની ગેંગો ઉઠાવી રહી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here