Monday, September 14, 2026
Homenational500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નોટબંધી લાગુ થયાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દેશમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટ બદલવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ ચોર દરવાજાથી આ ગોરખધંધો હજુ પણ ચાલી રહ્યો છે. ગાજિયાબાદ પોલીસે આવી જ એક ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી અંદાજીત એક કરોડ રૂપિયાની જૂની નોટો પકડી પાડી છે. આ રૂપિયા કાર મારફતે નેપાળ લઈ જવામાં આવતા હતાએસએસપી વૈભવ કૃષ્ણના મતે, પોલીસને સોમવારે રાત્રે બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કારમાં મોટી માત્રામાં જૂની કરન્સી લઈને જઈ રહ્યા છે. પોલીસે પૂજા કટ પાસે આ બંને કારને પકડી પાડી હતી. જેમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી.આ મામલે પોલીસને માહિતી મળી કે આ એક કરોડ રૂપિયાના બદલમાં 10 લાખ રૂપિયા મળવાના હતા. આ રકમ નેપાળ પહોંચ્યા બાદ મળતી હતી. રૂપિયા પહોંચાડનારાઓને ત્રણથી ચાર ટકા કમિશન મળતું હતું.પકડાયેલા આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું કે આ ઓર્ડર પૂરો કર્યા બાદ તેમને 200 કરોડ રૂપિયાની નોટો બદલવાનો ઓર્ડર મળવાનો હતો. જેના માટે 100 કાર અને માણસોની વ્યવસ્થા કરવા માટે કહી દીધું હતું.આરોપીઓએ જણાવ્યું હતું કે ભારતમાં જૂની કરન્સી બદલવાનો સમય પૂરો થઈ ગયો છે. બીજી તરફ નેપાળમાં આ કામ થઈ શકે છે. મળી રહેલી જાણકારી મુજબ પર્યટક દ્વારા અંદાજીત 950 કરોડ રૂપિયાની જૂની નોટો નેપાળમાં આવેલી છે. નેપાળે આ નોટો બદલવા માટે ભારતને વાત કરી છે. ભારત તરફથી તેનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે. નેપાળનું કહેવું છે કે આ કરન્સી એક સાથે નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ છૂટકમાં આવેલી છે. બીજી તરફ નેપાળ રાષ્ટ્ર બેંક તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ આરબીઆઈએ પ્રતિ વ્યક્તિ સાડા ચાર હજાર રૂપિયા બદલવાની મૌખિક સહમતી આપી છે. જોકે હજુ સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે આ જૂની કરંસી બદલવાની તક હજુ પણ રહેલી છે. જેનો ફાયદો આ પ્રકારની ગેંગો ઉઠાવી રહી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here