Sunday, June 8, 2025
HomeGujarat7 મહિલાઓને કારણે ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી

7 મહિલાઓને કારણે ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી છે. ડાકોરના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યું છે કે, એક સેવકે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ સેવકે મંદિર નિતિ નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા. ત્યારે આ સેવકની તસવીર સામે આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મહિલાઓએ રણછોડરાયજીના આરામથી દર્શન કરીને ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતા 7 મહિલાઓએ દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે એક પછી એક સાતથી વધુ મહિલાઓ ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને દર્શન કરતી જોવા મળી હતી. પરેશભાઇ રમેશચંદ્ર સેવક નામના વ્યક્તિએ આજે સવારના સમયે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં હાજર પટાવાળાએ તેઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, છતાં તેઓએ ચરણ સ્પર્શ કર્યા હતા. સમગ્ર મામલે વિવાદ થયો અને તેના સીસીટીવીના ફૂટેજ વાયરલ થયા છે. તેથી પોલીસ મથકે કમિટી પહોંચતા પોલીસે મેનેજરની ફરિયાદ લઇને કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કહેવાયુ કે, ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા.  7થી વધુ મહિલાઓએ ગર્ભગૃહમાં દર્શન કરતા વિવાદ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તો બીજી તરફ, મંદિરમાં મહિલાઓને લઈ જનાર પરેશ રમેશચંદ્ર સેવકે જણાવ્યું કે,  આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્ય દર્શન કરવા લઇ જઇ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પુછવાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નીજ મંદિરમાં લઇ જઇ શકીયે છીએ. જેમને હું મારી સાથે લઇ ગયો હતો. તે મારી પત્નિ અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતાં.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here