
દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયામન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. હાલ સ્મશાનગૃહનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે.89 વર્ષીય એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલાં તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એવામાં 11 નવેમ્બરે તેમના મૃત્યુની ખોટી અફવાઓ વ્યાપકપણે ફેલાઈ હતી, જેના કારણે તેમનાં પત્ની અને એક્ટ્રેસ હેમા માલિની અને દીકરી ઈશા દેઓલે નિવેદનો આપીને પુષ્ટિ કરી હતી કે તેઓ જીવિત છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.
કરણ જોહરે શ્રદ્ધાંજલિ આપી :
કરણ જોહરે ધર્મેન્દ્રના નિધનની પુષ્ટિ કરી અને તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી.


