Saturday, April 26, 2025
Homenationalસ્પાઈસ જેટના વિમાનમાં ધુમાડા, ફ્લાઈટ દિલ્હી પરત ફરી

સ્પાઈસ જેટના વિમાનમાં ધુમાડા, ફ્લાઈટ દિલ્હી પરત ફરી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી : દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાન આજે સવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ ફરી દિલ્હી વિમાન મથક ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સ્પાઈસ જેટ દ્વારા આપાવમાં આવેલી જાણકારી પ્રમાણે ઉંચાઈ પર પહોંચ્યા બાદ પાયલોટની કેબિનમાં ધુમાડો દેખાવાના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ વિમાન જ્યારે 5,000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાયલોટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, વિમાનમાં ધુમાડો વ્યાપી ગયેલો છે. તેની અંદર બેઠેલા મુસાફરોને ધુમાડાના કારણે મુશ્કેલી અનુભવાઈ રહી છે. ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા અને બીજા વિમાન દ્વારા તેમને જબલપુર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત 19 જૂનના રોજ પણ સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડેલા વિમાનમાં આગ લાગવાના કારણે 185 મુસાફરો સાથેના તે વિમાનને પટના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here