Friday, June 5, 2026
HomeIndia170 કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં બન્યું ઈસ્કોન મંદિર : વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે...

170 કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં બન્યું ઈસ્કોન મંદિર : વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ઉદઘાટન

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી મુંબઈના ખડગપુરમાં 12 વર્ષની મહેનત બાદ ભવ્ય ઈસ્કોન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી મહિને 15 તારીખે આ મંદિરનું ઉદઘાટન થશે. મંદિરનું નામ રાધા મદનમોહનજી મંદિર રાખવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મંદિરના નિર્માણમાં 170 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ સુરદાસ પ્રભુએ કહ્યું કે, આ મંદિર આધુનિક સમયમાં એક મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનશે.

વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ઉદઘાટન :
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કલ્ચરલ સેન્ટર અને વૈદિક સંગ્રહાલયનો પણ શિલાન્યાસ કરશે. તેમાં ભારતની મહાન સંસ્કૃતિની છબી જોવા મળશે. તેમણે કહ્યું કે નિર્માણ દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર જોવા આવી ચૂક્યા છે. તેઓ 12 ઓક્ટોબરના રોજ નવી મુંબઈની મુલાકાત દરમિયાન આ મંદિરનું કામકાજ જોવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવી મુંબઈની હરિયાળી વચ્ચે આ મંદિર ખૂબ જ ભવ્ય નજર આવે છે. મંદિરના ઉદઘાટન નો કાર્યક્રમ 9 જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે. ત્યારબાદ આ કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલશે. 15 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ધાટન કરશે. મંદિરની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના અવસર પર મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ મંદિરમાં ભક્તિવેદાંત કોલેજ ઓફ વૈદિક એજ્યુકેશન, એક લાઈબ્રેરી, આયુર્વેદિક હીલિંગ સેન્ટર, ગૌશાળા, વરિષ્ઠ નાગરિકો માટે આશ્રમ, જૈવિક ખેતી પણ હશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર પણ સામેલ થઈ શકે છે. એક સપ્તાહના કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક સેમિનાર, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ મંદિરમાં દશાવતારની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here