Saturday, August 15, 2026
HomeIndiaરાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ! સચિન પાયલટના સમર્થકો ફરી...

રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ! સચિન પાયલટના સમર્થકો ફરી ભડક્યા

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

કોંગ્રેસને પાર્ટીએ પહેલાં હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાર્ટી હારના કારણો પર મંથન કરી રહી છે. જોકે, હારના મંથન પહેલાં પાર્ટીનો આંતરિક વિખવાદ જ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછું સચિન પાયલટ અને ગેહલોત વચ્ચેનો આંતરિક વિવાદ ઉપસીને આંખે વળગ્યોછે. સોમવારે (16 ડિસેમ્બર) રાજધાની જયપુરમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠકમાં ફરી બંને દિગ્ગજ નેતાઓનો વચ્ચેનું ઘર્ષણ સામે આવ્યું, જેનું કારણ એક બેનર બન્યું. હકીકતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટની તસવીર બેઠકના બેનરમાંથી ગાયબ છે.

પાર્ટીની મજબૂતી પર ઊભા થયાં સવાલ :
જણાવવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દો ત્યારે ઊભો થયો જ્યારે અમુક કોંગ્રેસ સભ્યોએ પાયલટની તસવીર ન હોવા પર નારાજગી વ્યક્ત કરી. આ મુદ્દો સૌથી પહેલાં પ્રદેશ સચિવ નરપત મેઘવાલે ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિભા માથુરે પણ સચિન પાયલટની તસવીર ગાયબ થવા પર પ્રશ્ન ઊભા કર્યા હતાં. પૂર્વ મુખ્યમંત્રી શિવચરણ માથુરની પૌત્રી અને પાયલટની સમર્થક વિભા માથુર પણ બાદમાં આ ચર્ચામાં સામેલ થયાં. વિભા માથુરે કહ્યું, જ્યારે એક પ્રમુખ નેતાની જ તસવીર ગાયબ હોય તો આપણે પાર્ટીને મજબૂત કરવાની વાત કેવી રીતે કરી શકીએ? બેનરમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તસવીર છે, તો સચિન પાયલટની કેમ નહીં?

પાર્ટીની એકતા પર ધ્યાન આપોઃ ડોટાસરા :
સમગ્ર મુદ્દે પાર્ટીના સભ્યોની તીખી ટિપ્પણીઓ સામે આવ્યા બાદ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ બેનર ડિઝાઇનની પાછળ પ્રોટોકોલનું કારણ જણાવતા આ નિર્ણયનો બચાવ કર્યો. ડોટાસરાએ ટિપ્પણી કરનાર નેતાઓની ટીકા કરતા કહ્યું કે, પોસ્ટર પર તસવીરો કોંગ્રેસના દિશા-નિર્દેશોનું પાલન કરે છે. આ સિવાય પાર્ટીના સભ્યોને સલાહ આપતા કહ્યું કે, આપણાં સભ્યોએ પાર્ટીની એકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વિવાદ એક બેનરથી શરૂ થયો, જેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના સીનિયર કોંગ્રેસ નેતાઓની તસવીરો પ્રમુખતાથી દર્શાવવામાં આવી, પરંતુ સચિન પાયલટને તેમાં સામેલ કરવામાં ન આવ્યા. આ મુદ્દાને સંબોધિત કરતાં ડોટાસરાએ આ ઘટનાને આંતરિક મામલો જણાવતા કહ્યું, ‘લોકોએ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે, જેનો સ્વીકાર કર્યો.’જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 સમયે સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેના આંતરિક વિવાદે કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે જ કોંગ્રેસે સત્તા પણ ગુમવવી પડી હતી. ભાજપે 115 અને કોંગ્રેસે 69 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જોકે, 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 100 બેઠકો સાથે રાજ્યની સત્તા કબ્જે કરી હતી. બીજી બાજુ ભાજપ પાસે ફક્ત 73 બેઠકો જ હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાજકીય વિશ્લેષકોએ કોંગ્રેસની હાર પાછળ આંતરિક વિખવાદને મુખ્ય કારણ જણાવ્યું હતું.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here