Sunday, September 6, 2026
HomeIndiaકેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ- ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કરશે

કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ- ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કરશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે, તેથી અમે શાળાની રજાઓ અને ફેમિલી ઓડિયન્સને લક્ષ્ય બનાવીને સ્થાનિક મુલાકાતીઓ સમક્ષ નવા ઉત્પાદનો રજૂ કરીશું,” પ્રવાસન મંત્રી શ્રી પીએ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે, કેમ્પેઇન ખાસ કરીને ઉત્તર કેરળ, ખાસ કરીને બેકલ, વયનાડ અને કોઝિકોડ પર ધ્યાન કેન્દ્રિત કરશે, ઉપરાંત ઓછા જાણીતા સ્થળો અને મોટા પાયે સુધારેલા માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શ્રી રિયાસે જણાવ્યું હતું કે, કેરળને તેના અસંખ્ય રંગોમાં પ્રદર્શિત કરવાનું કેમ્પેઇન એ રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવતા સ્થળો અને વિશિષ્ટ પ્રવાસન ઉત્પાદનોની દૃશ્યતા વધારવાની નવીન પ્રમોશન વ્યૂહરચનાનો એક ભાગ છે, જે મુખ્ય સ્ત્રોત શહેરોના સંભવિત મુલાકાતીઓ સાથે સીધા જોડાણ બનાવે છે. કેરળ સરકારના પર્યટન સચિવ શ્રી બીજુ કે.એ જણાવ્યું હતું કે, પ્રવાસીઓને આકર્ષિત કરતી નવી પ્રોડક્ટ્સમાં હેલી-ટૂરિઝમ અને સી પ્લેન પહેલનો સમાવેશ થાય છે, જે રાજ્યના સ્થળોને નજીકથી જોડાયેલા અનેસરળતાથી સુલભ બનાવશે. શ્રી બીજુએ ઉમેર્યું હતું કે, નવા પ્રોજેક્ટ્સની સાથે સાથે રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેવી કે દરિયાકિનારા, હિલ સ્ટેશનો, હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓના અનુભવની સંપૂર્ણતામાં વધારો કરશે.પોતાની પ્રાકૃતિક સુંદરતા, વાઇબ્રન્ટ કલ્ચર અને સમૃદ્ધ વારસા માટે પ્રખ્યાત, કેરળ તેના મુલાકાતીઓને તેના સાંસ્કૃતિક ઉલ્લાસ અને સાહિત્યિક કાર્યક્રમોનો આનંદ પણ આપશે. રાજધાની શહેરમાં 15 થી 21 ફેબ્રુઆરી દરમિયાન કનકક્કુન્નુ પેલેસ ખાતે નિશાગાંધી નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જ્યાંસમગ્ર ભારતના પ્રખ્યાત નૃત્યકારો મોહિનીઅટ્ટમ, કથક, કુચીપુડી, ભરતનાટ્યમ અને મણિપુરી જેવા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો રજૂ કરશે, એમ કેરળ સરકારના પર્યટન વિભાગના ડિરેક્ટર શ્રીમતી શીખા સુરેન્દ્રને જણાવ્યું હતું. તાજેતરમાં સંપન્ન થયેલા કેરળ લિટરેચર ફેસ્ટિવલ (કેએલએફ) એક મહત્વપૂર્ણ વાર્ષિક સાહિત્યિક કાર્યક્રમ, જે 23થી 26 જાન્યુઆરી દરમિયાન કોઝિકોડ બીચ પર યોજાયો હતો, જેમાં વિવિધ પૃષ્ઠભૂમિના લેખકો, કલાકારો, અભિનેતાઓ, સેલિબ્રિટીઝ, વિચારકો અને કાર્યકરોના વિવિધ ગ્રુપનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું, જેમાં વાચકો અને લેખકો વચ્ચે જોડાણને પ્રોત્સાહન મળ્યું હતું. કેએલએફમાં 12થી વધુ દેશોના 400થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કોઝિકોડ શહેરના પાંચ સ્થળોએ આશરે 200 સેશન્સ યોજ્યા હતા.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here