Saturday, September 5, 2026
HomeIndiahimachalહિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નેશનલ હાઈવે-5 (NH-5) પર ઉરની ડાક નજીક આવેલો 190 ફૂટ લાંબો બેલી બ્રિજ મંગળવારે અચાનક તૂટી પડ્યો. ઘટના સમયે રેતીથી ભરેલું 10 ટાયરવાળું ડમ્પર પુલ પરથી પસાર થઈ રહ્યું હતું, જે બ્રિજ પડી જતાં ઝપેટમાં આવી ગયું. રાહતની વાત એ છે કે ડમ્પર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ ઘટનાના વાઈરલ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ડમ્પરની પાછળ જ કિનારે એક કાર ઉભી હતી પણ ચાલકની સતર્કતાના કારણે કોઈ નુકસાન થયું નથી
નેશનલ હાઈવે ઓથોરિટીએ શું કહ્યું?

નેશનલ હાઈવે ઓથોરિટી ડિવિઝન રામપુરના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે-‘પુલની નિયમિત દેખરેખ અને જાળવણી કરવામાં આવી રહી હતી. 5 જૂનના રોજ જ તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. બેલી બ્રિજની નિર્ધારિત વજન ક્ષમતા 28 ટન હતી, જ્યારે અકસ્માત સમયે પુલ પરથી પસાર થઈ રહેલું 10 ટાયરવાળું ડમ્પર ક્ષમતા કરતા વધુ વજન લઈને જઈ રહ્યું હોઈ શકે છે. પુલ તૂટવાનું સાચું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. પોલીસ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ તારણ કાઢવામાં આવશે.’

નેશનલ હાઈવે-5 પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થયો નથી

મહત્વનું છે કે આ ઘટના છતાં નેશનલ હાઈવે-5 પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થયો નથી. જૂના રસ્તાને તાત્કાલિક પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે. કિન્નોર, શિમલા અને ભારત-તિબેટ સરહદી વિસ્તારને જોડતા આ જરૂરી માર્ગ પર પરિવહન પ્રભાવિત થયું નથી.બેલી બ્રિજ વૈકલ્પિક માર્ગ હતો

જોખમને ધ્યાનમાં રાખીને વર્ષ 2016માં સતલજ નદી પર આશરે 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવીને વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે મૂળ નેશનલ હાઈવેનો ભાગ સતત કાટમાળ પડવાને કારણે ખોરવાયેલો રહેતો હતો.વર્તમાન સમયમાં આ ભૂસ્ખલન પ્રભાવિત હિસ્સાને કાયમી ધોરણે સુરક્ષિત બનાવવા માટે સુરંગ (ટનલ) નિર્માણનું કાર્ય પણ ચાલી રહ્યું છે, જેથી ભવિષ્યમાં વાહનવ્યવહાર પર કુદરતી આફતોની અસર ઓછી કરી શકાય.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here