Thursday, August 6, 2026
HomeGujaratAhmedabadસૌરાષ્ટ્ર ઘણા પંથકમાં મેઘો મહેરબાન, ખેડૂત ખુશખુશાલ

સૌરાષ્ટ્ર ઘણા પંથકમાં મેઘો મહેરબાન, ખેડૂત ખુશખુશાલ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સૌરાષ્ટ્રનાં ડેમોમાં નવા નીરની આવક થતાં કેટલાક ડેમો છલકાયા : ભારે વરસાદને લઈ આજી-૨ ડેમ ઓવરફ્‌લો
અમદાવાદ, તા.૩
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના પંથકોમાં મેઘરાજાની મહેરબાની વરસી રહી છે અને વરસાદી માહોલને લઇ ચોમાસાની જારદાર જમાવટ છે. સતત વરસાદના કારણે સૌરાષ્ટ્રનાં મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક પંથકોમાં તો, ભારે વરસાદનાં પગલે કેટલાક ડેમો ઓવરફ્‌લો પણ થઈ ગયા છે. બીજીબાજુ, રાજકોટમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને લઈને આજે કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના અલગ અલગ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. રાજકોટ શહેરના ત્રણેય ઝોનના તમામ વિસ્તારોમાં રસ્તાનાં મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, મોરબી રોડ પર તૂટેલી ડી.આઈ.પાઈપલાઈન રીપેરિંગ, કોઠારિયા વિસ્તારમાં પાણી નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રાકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના લલુડી વોંકળી, પોપટપરા, વેસ્ટ ઝોનમાં વામ્બે આવાસ યોજના, બી.આર.ટી.એસ., ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લલુડી વોંકળી વિસ્તારમાં ૮૦ ફૂટ રોડ પરથી વરસાદી પાણી આવે છે. જે ધોબી ચોક થઈને લલુડી વોંકળી વિસ્તારમાં આવે છે. ત્યાં ટીપી રોડ છે અને વરસાદી પાણીના નિકાલ માટે જગ્યા મળે તો આર.સી.સી.ની પાકી ચેનલ બનાવવા અન્યથા ટીપી સ્કીમ વેરિએશન માટે કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ આ એરીયામાં જે.સી.બી.ની મદદ સાથે સત્વરે સફાઈ કામગીરી શરૂ કરાવા, પોપટપરા નાલામાં ભરાતા પાણીના નિકાલ માટે સાઈડમાં એસ્કેવેશન-જરૂરી ખોદકામની કામગીરી શરૂ કરવા સૂચના આપી છે. ભાદર ડેમની ઊંડાઈ ૩૪ ફૂટ છે. જેમાં હાલની સપાટી ૧૫ ફૂટ પહોંચી ગઈ છે. આજી-૧ ડેમની સપાટી ૨૯ ફૂટ છે. જેમાં હાલની સપાટી ૧૭.૫૦ ફૂટ પહોંચી ગઈ છે. આજી-૨ ડેમની સપાટી ૩૦.૧૦ ફૂટની છે, જેમાં હાલની સપાટી ૨૮.૧૦ ફૂટ પહોંચી ગઈ છે. ન્યારી-૧ ડેમની સપાટી ૨૫.૧૦ ફૂટ છે, જેમાં હાલની સપાટી ૧૪.૮૦ ફૂટ પહોંચી ગઈ છે. ન્યારી-૨ ડેમની સપાટી ૨૦.૭૦ ફૂટ છે, જેમાં હાલની સપાટી ૧૯.૭૦ ફૂટ પહોંચી ગઈ છે. ભારે વરસાદને લઈને આજી-૨ ડેમ ઓવરફ્‌લો થયો હતો. પરંતુ આગામી દિવસોમાં વરસાદનાં પગલે ડેમનું પાણી બહાર ન જાય એ માટે ગઈકાલે ૫ દરવાજા ખોલી ૨ ફૂટ પાણી છોડવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાનાં જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસરથી શેત્રુંજી ડેમની સપાટી ૧૬ ફૂટને આંબી ગઈ હતી. શેત્રુંજી ઉપરાંત જસપરા માંડવા અને ઉતાવળી ગુંદા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. પાણીની આવકને લીધે શેત્રુંજી ડેમની સપાટી ગઈકાલે ૧૩.૯ ફૂટ હતી તે વધીને ૧૬ ફૂટે પહોંચી ગઈ છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here