Sunday, March 8, 2026
Homenationalભાજપ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કોર્ટમાં રાહુલ સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી :...

ભાજપ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કોર્ટમાં રાહુલ સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી : ૧૧ સપ્ટેમ્બરે વધુ સુનાવણી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ, તા.૯
ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર વિવાદીત ટિપ્પણી કરવાના ચકચારભર્યા કેસમાં અમદાવાદ શહેરની ઘીકાંટા વિસ્તારની મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યું હતું. જા કે, આજે રાહુલ ગાંધી તરફથી તેમના વકીલે હાજર થઇને રાહુલ ગાંધી માટે એકઝ્મ્પ્શન(કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માટે) અરજી કરી હતી. જેમાં રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હાલ કોંગ્રેસની અગત્યની બેઠકોમાં વ્યસ્ત હોવાથી અદાલત સમક્ષ હાજર થઇ શકે તેમ નથી અને તેથી તેમને કોર્ટમાંથી હાજર રહેવામાંથી મુકિત આપવામાં આવે. વળી, તા.૧૧મી સપ્ટેમ્બરે સુરતના કેસની સુનાવણી હોઇ તેઓ એ દિવસે અહીં આવવાના છે, તેથી કોર્ટે હાલની અરજીની સુનાવણી તા.૧૧મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં મેટ્રો કોર્ટે બીજીવાર રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યું હતું, તે નોંધનીય છે. રાહુલ ગાંધીએ જબલપુરની એક સભામાં અમિત શાહ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટે સમન્સ કાઢ્યા બાદ રાહુલ ગાંધી બેઠકોમાં વ્યસ્ત હોવાથી તેમના તરફથી આ કેસમાં વધુ સમયની માંગ કરવામાં આવી હતી. જા કે, કોર્ટે આ મામલે વધુ સુનાવણી તા.૧૧ ઓક્ટોબરના રોજ મુકરર કરી હતી. રાહુલ ગાંધીએ જબલપુરની એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખૂન કેસના આરોપી છે. ત્યારબાદ અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી કહ્યું હતું કે, સીબીઆઈ કોર્ટે અમિત શાહને તા.૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ એન્કાઉન્ટર કેસમાં બિન તહોમત છોડી મુક્યા હતા. જેથી અમિત શાહને ખૂન કેસના આરોપી કહી તેમની બદનામી કરી હોવાથી રાહુલ ગાંધી સામે બદનક્ષીની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મેટ્રો કોર્ટે નોટબંધી દરમ્યાન નોટો બદલાવવાના પ્રકરણમાં અમિત શાહ અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક વિરૂધ્ધ વાંધાજનક ઉચ્ચારણો કરતાં એ કેસમાં પણ રાહુલ ગાંધી વિરૂધ્ધ સમન્સ જારી થયું હતું. આમ, અમદાવાદની મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધી વિરૂધ્ધ સમન્સ જારી થવાની આ બીજી ઘટનાએ ખાસ કરીને કોંગ્રેસની છાવણીમાં ભારે ચકચાર જગાવી હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here