Tuesday, July 21, 2026
HomeWorldટ્રમ્પે ઓબામાને નોબેલ પ્રાઈઝ મળવા પર ઉઠાવ્યા સવાલ કહ્યું,'..મને ન મળ્યું

ટ્રમ્પે ઓબામાને નોબેલ પ્રાઈઝ મળવા પર ઉઠાવ્યા સવાલ કહ્યું,’..મને ન મળ્યું

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. હવે ટ્રમ્પે ફરી એક એવું નિવેદન આપ્યું છે, જેને કારણે આખા વિશ્વમાં ચર્ચા શરૂ થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર સમિતિ સામે જ સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પે ફરિયાદ કરતા કહ્યું કે નોબેલ પુરસ્કાર આપનાર લોકોના અન્યાયપૂર્ણ વલણને કારણે મને શાંતિનો નોબેલ નથી મળ્યો.ઉલ્લેખનીય છે કે હાલ વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બંને અમેરિકાની મુલાકાતે છે. ત્યારે સોમવારે ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન જ ટ્રમ્પે નિવેદન આપ્યું કે,’જો નોબેલ કમિટી યોગ્ય રીતે નોબેલ પ્રાઈઝ આપે, તો મને ઘણી વસ્તુઓ માટે પ્રાઈઝ મળી શકે, પરંતુ આવું નથી થઈ શક્યું.’ એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને મળેલા નોબેલ પ્રાઈઝ પર પણ સવાલ ઉઠાવ્યા છે. 

ટ્રમ્પે નિવેદન આપ્યું કે,’ઓબામાને 2009માં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાના 8 મહિના પછી જ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. જ્યારે તેઓ થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારે ઓબામાને પોતાને પણ ખબર ન હતી કે તેમને શાંતિ પુરસ્કાર શા માટે મળ્યો છે. માત્ર આ એક જ વાત માટે હું ઓબામા સાથે સહમત છું.’ઈમરાન ખાન સાથેની બેઠક બાદ ટ્રમ્પે ફરી એકવાર નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે બેઠક અંગે શક્યતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, તેમની અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનની ટૂંક સમયમાં જ ચોથી મુલાકાત થઈ શકે છે. ઉત્તર કોરિયાએ આ વખતે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પોતાનો એક પણ પ્રતિનિધિ મોકલ્યો નથી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના સંબંધો મામલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે આ મુદ્દે વાત કરશે.ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ટ્રમ્પને પ્યોંગયોંગ આવવા આમંત્રણ આપી ચૂક્યા છે. જે બાદ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આવનારા થોડા સપ્તાહમાં વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે વર્કિંગ-લેવલની વાતચીત થઈ શકે છે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here