Sunday, February 23, 2025
Homenationalજમ્મુથી ૬૪૦૦ યાત્રાળુઓનો સંઘ અમરનાથ જવા રવાના

જમ્મુથી ૬૪૦૦ યાત્રાળુઓનો સંઘ અમરનાથ જવા રવાના

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને સોપોરમાંથી હથિયારોના જથ્થા સાથે લશ્કર-એ-તોયબાના પાંચ હાઈબ્રિડ આતંકવાદીઓ પકડાયા હતા. આ આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. સુરક્ષાદળોની સતર્કતાથી જમ્મુ-કાશ્મીરમાં એક મોટો હુમલો નિષ્ફળ થયો હતો. આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો એક આતંકી પૂંચમાંથી પણ ઝડપાયો હતો.જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કર-એ-તોયબાના પાંચ હાઈબ્રિડ આતંકવાદીઓ પકડાયા હતા. પોલીસના વોન્ટેડ લિસ્ટમાં ન હોય, પોલીસના રેકોર્ડમાં કોઈ ગુનાખોરી નોંધાઈ ન હોય અને આતંકી સંગઠનો માત્ર એક-બે વખત જ હુમલો કરાવવા જેનો ઉપયોગ કરે છે એવા આતંકવાદીઓને હાઈબ્રિડ આતંકવાદીઓ કહે છે. આ હાઈબ્રિડ આતંકવાદીઓ નિયમિત નોકરી-ધંધો કરતા હોવાથી અને સામાન્ય જીવન જીવતા હોવાથી તુરંત પકડાતા નથી. શ્રીનગરમાંથી આવા બે આતંકીઓ ઝડપાયા હતા. સોપોરમાંથી ત્રણની ધરપકડ થઈ હતી. આ આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ પાસેથી બંદૂકો, વિસ્ફોટકો સહિતના હથિયારો જપ્ત કરાયા હતા. આતંકવાદીઓને મદદ કરતા એક સાગરિકની પણ પૂંચમાંથી ધરપકડ કરવામાં આવી હતી.બીજી તરફ જમ્મુથી ૬૫૦૦ યાત્રાળુઓનો સંઘ અમરનાથ જવા માટે રવાના થયો હતો. ૨૬૫ વાહનોમાં આ યાત્રાળુઓને સુરક્ષા વ્યવસ્થા સાથે રવાના કરાયા હતા. બમ બમ ભોલેના નાદ સાથે ભગવતી નગર બેઝ કેમ્પ પરથી યાત્રાળુઓ રવાના થયા હતા. અમરનાથ યાત્રા માટે ગયેલા યાત્રાળુઓની કુલ સંખ્યા ૧૭,૧૦૦ થઈ છે. તે સિવાય દેશભરમાંથી વધુ ૭૦૦૦ યાત્રાળુઓ જમ્મુમાં આવી પહોંચ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા ધારણા કરતાં વધુ રહે તેવી પણ શક્યતા છે. ત્રણ વર્ષના અંતરાળ પછી શરૃ થયેલી અમરનાથ યાત્રા માટે આ વર્ષે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૩૦મી જૂનથી શરૃ થયેલી આ યાત્રા ૪૩ દિવસ સુધી ચાલશે.દરમિયાન સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રાળુઓને લગતો એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. રામબન જિલ્લાના બનિહાલમાંથી યાત્રાળુઓને બપોરે ૩.૩૦ પછી પ્રવેશ અપાશે નહીં. ભૂસ્ખલનની ઘટનાઓ વધી હોવાથી અને આતંકવાદીઓથી યાત્રાળુઓની સુરક્ષા કરવા માટે આ નિર્ણય લેવાયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના નિવેદનમાં કહેવાયું હતું કે રામબન જિલ્લાની ચેકપોસ્ટમાંથી યાત્રાળુઓના વાહનોને બપોર સુધી પ્રવેશ અપાશે. એ પછી બીજા દિવસે સવારથી ફરીથી પ્રવેશ ચાલુ થશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here