
ગુજરાતમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા નવું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલમાં અદ્યતન સ્તનપાન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું જણાવ્યું કે વડોદરા, સુરત, વલસાડ, ગાંધીનગરમાં સેન્ટર કાર્યરત છે. ભાવનગર, જામનગર, રાજકોટમાં સેન્ટર શરૂ કરવામાં આવશે. બી.જે. મેડિકલ કોલેજમાં પણ આવા સેન્ટર શરૂ કરાશે. બાળ મૃત્યુદર ઘટાડવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ગુજરાતમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા નવું પગલુંગુજરાતમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા સિવિલ હોસ્પિટલમાં ખાસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટર પંડ્યા અને એલ્યુમિની એસોસિએશન દ્વારા 70 થી 80 લાખના ખર્ચે સિવિલ હોસ્પિટલમાં એક અદ્યતન સ્તનપાન સેન્ટરની ભેટ આપવામાં આવી છે. માતાના દૂધની વ્યવસ્થા માટે ખાસ સેન્ટર છે. માતાઓને તેમના બાળકો માટે દૂધની જરૂરિયાત પૂરી કરવી અને જે માતાઓ પાસે વધારાનું દૂધ હોય તેમને પોતાનું દૂધ દાન કરવાની સુવિધા પૂરી પાડવા આવશે.
માતાના દૂધની વ્યવસ્થા માટે ખાસ સેન્ટરઆ દૂધ જરૂરિયાતવાળા બાળકોને પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર સ્તનપાનનો લાભ આપશે. ગુજરાતમાં વધુ ચાર સેન્ટરની મંજૂરી વડોદરા, સુરત, વલસાડ અને ગાંધીનગરમાં આવા સેન્ટર કાર્યરત છે. આગામી સમયમાં ભાવનગર, જામનગર, રાજકોટ અને બી.જે. મેડિકલ કોલેજમાં પણ આવા સેન્ટર શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ પગલાથી રાજ્યમાં સ્તનપાનની સુવિધા વધુ વિસ્તરશે. બાળ મૃત્યુદર ઘટાડવાનો પ્રયાસ છે. આવા સેન્ટરો દ્વારા સ્તનપાનને પ્રોત્સાહન આપવાથી બાળ મૃત્યુદરમાં પણ ઘટાડો થશે.


