Saturday, July 18, 2026
HomeGujaratટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

ટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

સુરત: અમેરિકા દ્વારા આજથી ભારતીય નિકાસ પર ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતના અલગ અલગ સેક્ટરને તેની માઠી અસર પહોંચવાની છે. જેમાં સૌથી વધુ ડાયમંડ ઉદ્યોગ પ્રભાવિત થવાની શક્યતા રહેલી છે. ડાયમંડ ઉદ્યોગની કમર પડી ભાંગે તેવી ભીતિ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ વ્યક્ત કરી છે. આ વચ્ચે સુરતમાં એક ડાયમંડ કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં સો જેટલા રત્ન કલાકારોને એકાએક છૂટા કરી દેવાયા હોવાની વાત સામે આવી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન અને છૂટા કરાયેલા રત્ન કલાકારોએ દાવો કરતાં જણાવ્યું છે કે કંપની પાસે કોઈ કામ ન હોવાના કારણે તેઓને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવનાર છે.
અમેરિકાના ટેરિફ વોરને લઈ સુરતનો હીરા ઉદ્યોગ ચિંતિત બન્યો છે. વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. આ વચ્ચે સુરતની એક ડાયમંડ કંપની દ્વારા રાતોરાત 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે. કતારગામ ખાતે આવેલી કાસાનગર સ્થિત ક્રિશ દિયામ નામની ડાયમંડ કંપની સામે આ ગંભીર આરોપ થયા છે. કંપનીમાંથી છૂટા કરાયેલા રત્ન કલાકારોએ જણાવ્યું છે કે કંપનીમાં અંદાજિત 250 થી 300 જેટલા રત્ન કલાકારો કામ કરે છે. છેલ્લા 15 – 15 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોને નોટિસ આપ્યા વિના જ છુટા કરી દેવાયા છે. જેના કારણે ઘરખર્ચ, બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘરના ભાડા સહિત મકાનના હપ્તા ભરવા જેવી ચિંતા સતાવી રહી છે. ઉપરાંત કંપની દ્વારા ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવ્યું નથી. એક તરફ સામી દિવાળી છે અને બીજી તરફ રત્ન કલાકારોને આવા સંજોગોમાં છૂટા કરી દેવાતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here