Friday, September 18, 2026
HomeGujaratટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

ટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

સુરત: અમેરિકા દ્વારા આજથી ભારતીય નિકાસ પર ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતના અલગ અલગ સેક્ટરને તેની માઠી અસર પહોંચવાની છે. જેમાં સૌથી વધુ ડાયમંડ ઉદ્યોગ પ્રભાવિત થવાની શક્યતા રહેલી છે. ડાયમંડ ઉદ્યોગની કમર પડી ભાંગે તેવી ભીતિ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ વ્યક્ત કરી છે. આ વચ્ચે સુરતમાં એક ડાયમંડ કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં સો જેટલા રત્ન કલાકારોને એકાએક છૂટા કરી દેવાયા હોવાની વાત સામે આવી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન અને છૂટા કરાયેલા રત્ન કલાકારોએ દાવો કરતાં જણાવ્યું છે કે કંપની પાસે કોઈ કામ ન હોવાના કારણે તેઓને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવનાર છે.
અમેરિકાના ટેરિફ વોરને લઈ સુરતનો હીરા ઉદ્યોગ ચિંતિત બન્યો છે. વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. આ વચ્ચે સુરતની એક ડાયમંડ કંપની દ્વારા રાતોરાત 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે. કતારગામ ખાતે આવેલી કાસાનગર સ્થિત ક્રિશ દિયામ નામની ડાયમંડ કંપની સામે આ ગંભીર આરોપ થયા છે. કંપનીમાંથી છૂટા કરાયેલા રત્ન કલાકારોએ જણાવ્યું છે કે કંપનીમાં અંદાજિત 250 થી 300 જેટલા રત્ન કલાકારો કામ કરે છે. છેલ્લા 15 – 15 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોને નોટિસ આપ્યા વિના જ છુટા કરી દેવાયા છે. જેના કારણે ઘરખર્ચ, બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘરના ભાડા સહિત મકાનના હપ્તા ભરવા જેવી ચિંતા સતાવી રહી છે. ઉપરાંત કંપની દ્વારા ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવ્યું નથી. એક તરફ સામી દિવાળી છે અને બીજી તરફ રત્ન કલાકારોને આવા સંજોગોમાં છૂટા કરી દેવાતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here