
1 વર્ષ બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાયું
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે (4 ફેબ્રુઆરી, 2026) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે. આ આદેશ સાથે જ રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ NDAએ મણિપુરમાં સરકાર બનાવવાની તાજવીજ હાથ ધરી છે. ગૃહ મંત્રાલયે આ મામલે બુધવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય આજ 4 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે. બીજી તરફ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં NDA પ્રતિનિધિમંડળે લોકભવનમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને 13 ફેબ્રુઆરી, 2025થી લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન રદ કરવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ તરત જ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં NDAના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા યુમનામ ખેમચંદ સિંહ(મેતૈઈ સમુદાય) આજે સાંજે 6:00 વાગ્યે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહ લોક ભવન ખાતે યોજાશે. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે:


