Thursday, February 27, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ બન્યું કેસરિયું, પીએમ મોદીના રોડ શોમાં ચારેકોર 'મોદી મોદી'ના લાગ્યા નારા

અમદાવાદ બન્યું કેસરિયું, પીએમ મોદીના રોડ શોમાં ચારેકોર ‘મોદી મોદી’ના લાગ્યા નારા

Date:

spot_img

Related stories

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...
spot_img

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે. સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે એ હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓએ PMનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદીપ પરમાર એરપોર્ટ સર્કલ પહોંચ્યા હતા. સમગ્ર બંદોબસ્ત અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. આ પરિણામ પરથી સ્પષ્ટ છે. ગુજરાતમાં પ્રવાસને લઈ કાર્યકર્તામાં પણ જોશ છે.

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here