
સ્પામની સમસ્યાને નાબૂદ કરવા માટેના તેના સતત પ્રયાસોના ભાગરૂપે, એરટેલે આજે તેની નવીન ફ્રોડ એલર્ટ સેવા લોન્ચ કરી છે. આ એઆઈ આધારિત, અદ્યતન સોલ્યુશન ગ્રાહકોને ઝડપથી વધી રહેલી વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) સંબંધિત બેંકિંગ ઠગાઈઓ સામે રિયલ-ટાઇમ સુરક્ષા પ્રદાન કરે છે.
ઠગો ઘણીવાર ડિલિવરી જેવી રોજિંદી સેવાઓ સાથે જોડાયેલા ઓટીપીની તાત્કાલિકતાનો લાભ લઈ, ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન સંબંધિત ઓટીપી શેર કરવા માટે ફસાવે છે, જેના કારણે તેમના ખાતામાં જમા બચત પર ઠગાઈનો જોખમ ઊભો થાય છે.
એરટેલની નવી એઆઈ આધારિત સિસ્ટમ આવા સંભવિત જોખમભર્યા સંજોગોને ઓળખી શકે છે અને સંબંધિત ગ્રાહકોને ચેતવણી આપે છે. જ્યારે કોઈ સંભવિત જોખમભર્યા ઇનકમિંગ કોલ દરમિયાન બેંક ઓટીપી ઓળખાય છે, ત્યારે એરટેલ ગ્રાહકને તાત્કાલિક ફ્રોડ એલર્ટ મોકલીને ચેતવે છે કે કોલ ચાલું હોય ત્યારે બેંકિંગ ટ્રાન્ઝેક્શન માટે ઓટીપી આપવા સંમત થવામાં જોખમ હોઈ શકે છે.
એઆઈ આધારિત બુદ્ધિમત્તા અને માનવ વિચારશક્તિના આ શક્તિશાળી સંયોજનથી ગ્રાહકોને વિચારવા, ચકાસવા અને પોતાની સુરક્ષા પર નિયંત્રણ રાખવા માટે જરૂરી સમય મળે છે, જેના કારણે ઠગો ઉપયોગ કરતા ગેપને અસરકારક રીતે બંધ કરી શકાય છે.
આ પહેલ અંગે ટિપ્પણી કરતા શશ્વત શર્મા, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, એરટેલ ઇન્ડિયાએ જણાવ્યું હતું,
“અમે એરટેલને સુરક્ષિત નેટવર્ક બનાવવાના મિશન પર છીએ. આ દિશામાં કામ કરતાં અમે સમજ્યું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને સુરક્ષિત રાખવામાં ઓટીપીનું મહત્વપૂર્ણ યોગદાન હોવા છતાં, ગુનેગાર તત્વો દ્વારા અપનાવવામાં આવતી યુક્તિઓ તેના પ્રભાવને વારંવાર નબળું પાડે છે. તેથી, બેંકિંગ ઠગાઈ સામે સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે એરટેલના નેટવર્ક સ્તરે એક મહત્વપૂર્ણ સુધારો જાહેર કરતાં અમને આનંદ થાય છે.
અમારી નવી વિકસિત એઆઈ આધારિત, સ્વાયત્ત સોલ્યુશન નેટવર્ક લેવલે પ્રોઍક્ટિવ રીતે કાર્ય કરે છે અને રિયલ-ટાઇમમાં ઠગાઈ પ્રવૃત્તિઓને ઓળખી અને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વ્યાપક ટ્રાયલ્સ દરમિયાન આ સોલ્યુશને આવા સ્કેમ્સ અટકાવવામાં નોંધપાત્ર ચોકસાઇ અને અસરકારકતા દર્શાવી છે.”
છેલ્લા બે વર્ષોમાં, એરટેલે સ્પામ કોલ ચેતવણીઓ અને દૂષિત લિંક બ્લોકિંગ જેવી AI આધારિત ટેક્નોલોજી દ્વારા ઠગાઈને મૂળ સ્તરે અટકાવવા માટે અનેક સુરક્ષા ઉપાયો અમલમાં મૂક્યા છે. આ પ્રયાસોથી એરટેલે તેના નેટવર્ક પર ઠગાઈને મોટા પ્રમાણમાં ઘટાડવામાં સફળતા મેળવી છે, તેમ છતાં ઠગો હજુ પણ નકલી ઓળખ અને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા માનવીય નબળાઈઓનો લાભ લેતા રહ્યા છે. મોબાઇલ ફોન વપરાશકર્તોને સુરક્ષિત રાખવા માટે તૈયાર કરાયેલ આ નવી સુવિધા, ડિજિટલ ફ્રોડ સામે ગ્રાહકોને બચાવવાનો વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ સોલ્યુશન હાલ હરિયાણામાં લાઇવ કરવામાં આવ્યું છે અને આગામી બે અઠવાડિયામાં એરટેલ તેના 100% ગ્રાહકો સુધી આ સેવા વિસ્તરાવશે.


