Wednesday, August 5, 2026
HomeNew Delhi'બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો...', યોગીના 'કયામત' વાળા નિવેદન પર...

‘બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો…’, યોગીના ‘કયામત’ વાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એન્ટ્રી થઈ છે. મુખ્યમંત્રી યોગીના બાબરી મસ્જિદના ‘કયામત’ વાળા નિવેદન પર પૂર્વ તૃણમૂલ કોંગ્રેસ નેતા અને જનતા ઉન્નયન પાર્ટીના પ્રમુખ હુમાયુ કબીરે પલટવાર કર્યો છે. મંગળવારે(10 ફેબ્રુઆરી, 2026) હુમાયુંએ કહ્યું કે, “તેઓ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિ ચોક્કસ બનાવશે, અને તેમને કોઈ રોકી શકશે નહીં.” તેમણે યોગીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું, “હું મસ્જિદ બનાવીશ, શકી શકો તો રોકી લો.”હુમાયુ કબીરે કહ્યું કે, “આ લખનઉ કે ઉત્તર પ્રદેશ નથી, અયોધ્યા પણ નથી. પરંતુ બંગાળ છે અને અહીં મમતા બેનર્જીનું શાસન છે. ભારતીય બંધારણ મુજબ, મુસ્લિમોને મસ્જિદ બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે, જેમ અન્ય લોકોને મંદિરો કે ચર્ચ છે. તેમણે 6 ડિસેમ્બર, 2025ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠના રોજ મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો અને તેનું નિર્માણ કાર્ય 11 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થશે.” તેમણે વધુમાં કહ્યું કે, “સવારે 10 વાગ્યાની આસપાસ આશરે 1200 લોકો કુરાન વાંચતા કામની શરૂઆત કરશે.” આ દરમિયાન હુમાયુએ યોગીને ચેતવણી આપતા કહ્યું કે, “જો રોકવા છે તો રોકીને બતાવો, અમે કોઈનાથી ડરતા નથી અને કોઈના દબાણમાં નહીં આવીએ. મસ્જિદ બનાવીને રહીશું.”ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે, ‘કયામત’નો દિવસ ક્યારેય નહીં આવે અને તેથી બાબરીનું માળખું ક્યારેય ફરીથી નહીં બને. આદિત્યનાથે બારાબંકીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “અમે કહ્યું હતું કે અમે રામલલા પાસે આવીશું અને ત્યાં મંદિર બનાવીશું. મંદિર બની ગયું છે. શું કોઈ શંકા છે?” જે લોકો ‘કયામત’ના દિવસનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓ એવી જ રીતે સડી જશે. તે સમય ક્યારેય નહીં આવે.

મુખ્યમંત્રી યોગીએ વધુમાં જણાવ્યું કે, 500 વર્ષ પછી અયોધ્યામાં તે ગૌરવપૂર્ણ ક્ષણ આપણી સમક્ષ આવી છે. આ 500 વર્ષો દરમિયાન ઘણા રાજાઓ અને સમ્રાટો આવ્યા અને ગયા, અને ઘણી સરકારો રચાઈ. ભારતને 1947માં આઝાદી મળી અને 1952માં પહેલી ચૂંટણી પછી સરકારો રચાઈ, પરંતુ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં મંદિર બનાવવાનો વિચાર તેમને ક્યારેય કેમ ન આવ્યો? 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here