
અમદાવાદ: વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમરનાથ શિવલિંગ પૂજા યોજી હતી. નાના બાળકો તેમના સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ થઈ પ્રાર્થના કરી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સરળવિધિઓમાં ભાગ લીધો. આ ઉજવણી માત્ર ભક્તિની લાગણી જાગૃત કરતી નહોતી પરંતુ બાળકોને ભારતની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ પણ હતો. આ પ્રવૃત્તિ દ્વારા પ્રી-સ્કૂલનું ધ્યેય નાનપણથી જ બાળકોમાં શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને વારસાની કદર જેવા મૂલ્યો પોસાવવાનો હતો.


