Saturday, May 10, 2025
HomeGujaratસુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના , દીકરીઓ સામે જ પિતા...

સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના , દીકરીઓ સામે જ પિતા હેવાન બન્યો, પત્નીનું ગળું કાપી નાખ્યું

Date:

spot_img

Related stories

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...
spot_img
સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના

સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રૂમમાં સુતેલી પત્નિને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નીખી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી. જે બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં સૂરતના ગોડાદરા આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા સહપરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક આઠ વર્ષની દિકરી અને એક એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓ સાથે રહે છે. સંયુક્ત કુંટુંબમાં રહેતા પરિવારે જમ્યા બાદ દરેક પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. પરંતુ રાત્રે નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી દીધી હતી.

જયસુખભાઈ ક્યારેક- ક્યારેક છૂટક મજૂરીનું કામ કરતાં :
પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીનું કામ કરતાં હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરંતુ જયસુખભાઈને દારૂ પીવાની ટેવ હતી. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. આ ઉપરાંત નમ્રતાબેનને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો.

ફ્લાવર શૉ 2025’નો આજથી પ્રારંભ, શું છે ટિકિટ દર?

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here