Thursday, March 13, 2025
HomeBusinessવિજય માલ્યાને વધુ એક આંચકો: બ્રિટનની હાઈકોર્ટે પ્રથમ વખત વિજય માલ્યાને નાદાર...

વિજય માલ્યાને વધુ એક આંચકો: બ્રિટનની હાઈકોર્ટે પ્રથમ વખત વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...
spot_img

ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનની હાઈકોર્ટે આજે બેન્કરપ્ટ (નાદાર) જાહેર કર્યો છે. બ્રિટનની કોર્ટ દ્વારા માલ્યાને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ સાથે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના વડપણ હેઠળ ભારતીય બેન્કોના ગ્રુપે આ કેસમાં જીત મેળવી છે. બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની કિંગ ફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોનની વસૂલાત માટે તેને નાદાર જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.લંડનની હાઈકોર્ટે આ ચૂકાદો આપતા હવે માલ્યાની મિલકતોને જપ્ત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.માલ્યા પાસે લંડન હાઈકોર્ટના ચૂકાદા સામે અપિલ કરવાની કોઈ તક રહી નથી. EDએ અગાઉ કહ્યું હતું કે શરાબના કોરાબોરી ભારતમાં પ્રત્યર્પણ સામે બ્રિટનની કોર્ટમાં પોતાનો કેસ હારી ગયા છે.65 વર્ષિય માલ્યાની એરલાઈન કંપની કિંગફિશર નાણાકીય કટોકટીમાં આવી જવાને લીધે 20 ઓક્ટોબર,2012થી ઉડ્ડાન ભરી શકી નથી. વિજય માલ્યાને જાન્યુઆરી, 2019માં ચુકવણી નહીં કરી શકતા અને બેન્કો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. માલ્યા 2 માર્ચ, 2016ના રોજ ભારત છોડી ભાગ્યો હતો.17 બેન્કના આશરે 9 હજાર કરોડ ફસાયા વિજય માલ્યાએ 17 બેન્ક પાસેથી આશરે 9 હજાર કરોડ રૂપિયા અને વ્યાજની ચુકવણી કરી ન હતી. તેમા SBI સહિત પંજાબ નેશનલ બેન્ક, IDBI બેન્ક, બેન્ક ઓફ બરોડા, અલ્હાબાદ બેન્ક, ફેડરલ બેન્ક, એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.​​​વિજય માલ્યાને ધિરાણ આપનારી બેન્કોએ તેના શેરના વેચાણ મારફતે રૂપિયા 792.12 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળની બેન્કોના કન્સોર્ટીયમ તરફથી ડેટ રિકવરી ટ્રાઈબ્યુનલે માલ્યાના શેરોનું વેચાણ કર્યું હતું. મની લોન્ડ્રીંગ સંબંધિ એક કેસમાં ED એ આ શેરો જપ્ત કર્યાં હતા. તેણે શેરોનું વેચાણ કરવા માટે પરવાનગી આપી હતી.વિજય માલ્યા મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શનિવારે કહ્યું હતું કે માલ્યા સામે ભારતે એક મજબૂત કેસ તૈયાર કર્યો છે અને બ્રિટનના અધિકારીઓએ તેના પ્રત્યર્પણ અંગે ખાતરી આપી છે.વિદેશ સચિવે વિજય માલ્યાના પ્રત્યર્પણમાં થતા વિલંબ અંગે કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બ્રિટન પક્ષ માલ્યાના પ્રત્યર્પણ અંગે કાર્ય કરી રહ્યું છે.

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here