Saturday, June 14, 2025
Homenationalમુંબઈના વર્લી સ્મશાન ઘાટમાં પારસી રિવાજ મુજબ વિધિ ચાલી રહી છે, ગાયત્રીમંત્ર...

મુંબઈના વર્લી સ્મશાન ઘાટમાં પારસી રિવાજ મુજબ વિધિ ચાલી રહી છે, ગાયત્રીમંત્ર અને ભજન સાથે વિદાય અપાઈ

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

મુંબઈ : ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મુંબઈના વરલી સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમની અંતિમયાત્રા મુંબઈના વાલકેશ્વરમાં સી ફેસિંગ મેન્શનથી વરલી સ્મશાનગૃહમાં પહોંચી હતી. સાયરસ મિસ્ત્રીના અંતિમસંસ્કાર પારસી રિવાજ અનુસાર કરવામાં આવી રહ્યા છે. સાયરસ મિસ્ત્રી માટે આયોજિત પ્રાર્થના સભામાં ગાયત્રીમંત્ર અને ગોવિંદ ગોપાલનાં ભજનો પણ ગાવામાં આવ્યાં હતાં. આકાશ અંબાણી, HDFC ચેરમેન દીપક પારેખ, NCP નેતા સુપ્રિયા સુલે અંતિમસંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા છે. ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે બપોરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ ગુજરાતના ઉદવાડામાં બનેલા પારસી મંદિરમાંથી પરત ફરી રહ્યા હતા. 54 વર્ષીય મિસ્ત્રીની મર્સિડીઝ GLC 220 કાર મહારાષ્ટ્રના પાલઘર પાસે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મિસ્ત્રી અને તેના મિત્ર જહાંગીર પંડોલે (49)નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કાર ચલાવી રહેલાં મહિલા ડૉક્ટર અનાયતા પંડોલે અને તેના પતિ દરીયસ પંડોલે ઘાયલ થયાં હતાં. દરીયસ જેએમ ફાઇનાન્શિયલના સીઇઓ છે.લક્ઝરી મર્સિડીઝ કાર, જેમાં સાયરસ મિસ્ત્રી લગભગ 134 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યા હતા. કારના છેલ્લા સીસીટીવી ફૂટેજ પરથી આ વાત સામે આવી છે. કાર રવિવારે બપોરે 2.21 કલાકે ચારૌટીની ચેકપોસ્ટ પાર કરી હતી. અકસ્માત સ્થળ અહીંથી 20 કિમી દૂર છે. મર્સિડીઝ કારે માત્ર 9 મિનિટમાં આ અંતર કાપ્યું હતું.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીને શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તબીબી પરિભાષામાં તેને મલ્ટીટ્રોમા કહેવામાં આવે છે, જેના કારણે સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું પોસ્ટમોર્ટમ રવિવારે મોડીરાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં થયું હતું. ભારતમાં જે લોકો સમજે છે ને જાણે છે તે લોકો આગળની સીટમાં બેસીને સીટબેલ્ટ બાંધે છે પણ પાછળની સીટમાં બેસનારા મોટા ભાગના લોકો સીટબેલ્ટ બાંધતા નથી. સાયરસ મિસ્ત્રીનું મૃત્યું થયું એ આગળની સીટ સાથે જોરથી અથડાવવાને કારણે થયું અને તેના શરીરમાં અંદરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો તેમણે પાછલી સીટે બેસીને પણ સીટ બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ તેઓ ઘાયલ થયા હોત, પણ તેમનો જીવ બચી જાત.

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here