Monday, June 22, 2026

Aksheshkumar Savaliya

spot_img

“હર રેલ ઘર તિરંગા”માં 18000 રેલ પરિવારોની ઐતિહાસિક ભાગીદારી – મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ ના પ્રમુખ શેફાલી ગુપ્તા બન્યા પ્રેરણા સ્ત્રોત 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને નવી ઊર્જા આપે તે રીતે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા (WRWWO), અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી શેફાલી ગુપ્તાના નેતૃત્વમાં ન્યુ રેલવે કોલોની, સાબરમતી ખાતે “હર રેલ ઘર તિરંગા” રેલીનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ આયોજનમાં 2000 થી વધુ રેલવે પરિવારજનો જોડાયા હતા. રેલીની શરૂઆત સાબરમતીના કોમ્યુનિટી હોલથી થઈ હતી અને રેલવે કોલોનીના વિવિધ માર્ગો પરથી પસાર થતાં દેશભક્તિના રંગમાં રંગાયેલા વાતાવરણમાં "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારા ગૂંજતા રહ્યા હતા.કાર્યક્રમમાં માનનીય વિધાયક ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે:“વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘હર ઘર તિરંગા’ના આહવાને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો છે અને રેલવે પરિવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે।”શ્રીમતી શેફાલી ગુપ્તા, જે વર્ષોથી જનસેવા અને સમાજ કલ્યાણના કાર્યમાં અગ્રણી છે, તેમણે જણાવ્યું હતું કે:“હર ઘર રેલ તિરંગા, હર દિલ મે ભારત – આ છે આપણી દેશભક્તિની સાચી ઓળખ.”તેમની પ્રેરણાથી આ અભિયાન માત્ર એક રેલી ન રહી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનો ઉત્સવ બની ગયોરેલી બાદ 500 થી વધુ ઘરોમાં કોલોનીવાસીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી 15 ઓગસ્ટના દિવસે દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક ફરકાવવામાં આવે. અમદાવાદ મંડળ દ્વારા 14 ઓગસ્ટ 2025 મણિનગર અને અન્ય રેલવે કોલોનીઓમાં પણ આ અભિયાન જારી રહેશે.આ વર્ષે સમગ્ર અમદાવાદ રેલ મંડળમાં 18,000 થી વધુ ઘરોમાં તિરંગાનું વિતરણ કરવાની યોજના છે. સાથે જ અમદાવાદ મંડળ ના પોતાના સ્ટાફ સાથે ખાસ “ફોટો તિરંગા સાથે” સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં રેલવે કર્મચારીઓએ પોતાનું તિરંગા સાથેનો  ફોટો પાડીને @DRMAhmedabad ને ટૅગ કરવાનો છે #HarRailGharTiranga હેશટૅગ સાથે પોસ્ટ કરવાનું રહેશે. મંડળ શ્રેષ્ઠ ફોટોને એવોર્ડ પણ આપશે.

સબ્યસાચીએ ભારતમાં ટાટા ક્લિક લક્ઝરી સાથે વિશિષ્ટ ભાગીદારી હેઠળ ડિજિટલ બૂટિક લૉન્ચ કર્યું

ભારતના અગ્રણી લક્ઝરી લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ ટાટા ક્લિક લક્ઝરીએ ભારતની પ્રસિદ્ધ લક્ઝરી બ્રાન્ડ સબ્યસાચી કોલકાતા સાથે-ભાગીદારીમાં દેશની પ્રથમ ડિજિટલ જ્વેલરી બૂટિક શરૂ કરવાની જાહેરાત કરી...

કલાકારો તેમના વતનમાં જન્માષ્ટમીની ઉજવણીની યાદો તાજી કરે છે!

એન્ડટીવીના કલાકારો તેમના વતનમાં જન્માષ્ટમી કઈ રીતે ઊજવાતી હતી તે મજેદાર યાદોને તાજી કરે છે. ભજનોથી લઈને ઝાંખીઓના સ્વર્ણિમ રંગો અને પારિવારિક રીતરસમો સુધી...

સમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર ફિલ્મમાં દેખાશે

સમીરાએ  સાસૂ સાથે ફન વિડીયોઝ બનાવી ચાહકો સાથે નાતો જાળવી રાખ્યો સમીરા રેડ્ડી ૧૩ વરસ પછી ફરી રૂપેરી પડદે અભિનય કરતી જોવા મળશે. છેલ્લે તે...

કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના

સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, 'ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસના મતે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેશકાંડમાં...

રક્ષક બહાર હોય છે,સંરક્ષક ભીતર હોય છે.

કથાકાર 'નવલ'કથાકાર હોવો જોઈએ,નકલ કથાકાર નહીં.અનુકરણ નહીં પણ અનુસરણ થવું જોઈએ.પાંચ ટાણે આશીર્વાદ ફળે છે:પૂજાન્તે,સંધ્યાન્તે, ભોજનાન્તે,નિશાન્તે અને ધ્યાનાન્તે.આપણા ચોવીસ તત્વોની રક્ષા રામ કરે છે.આંતર...

ચોંત્રિસ વરસોનાં વ્હાણા પછી ફરી મોમ્બાાસા-કેન્યામાં બાપુની રામકથાનો સહર્ષ આરંભ.

સર્જક-સાહિત્યકાર ગુણવંત શાહના દીકરી અને જમાઈ પણ આવેલા છે એનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું કે ગુણવંત શાહે ખાસ આગ્રહ કર્યો છે કે અહીંની રેતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img