Sunday, June 8, 2025
HomeGujaratBJP સાંસદ મનસુખ વસાવાની ધમકીઃ 'બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓને ઉઘાડા પાડીશ

BJP સાંસદ મનસુખ વસાવાની ધમકીઃ ‘બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓને ઉઘાડા પાડીશ

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

‘ભાજપના ફાયર બ્રાન્ડ ગણાતા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રાજપીપળા ખાતે રાજપીપળા-રામગઢ વચ્ચેના પુલનાં ખાતમૂર્હૂતમાં મનસુખ વસાવાએ આદિવાસીઓની જમીન પડાવી લેવાનો મનસુબો ધરાવતા અને ખેડૂતોને ધમકાવી જમીન પડાવી લેવા માંગતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓ ચેતી જજો, હું તમામને ઉઘાડા પાડીશ.

આદિવાસીઓની જમીનો બારોબાર વેચી મારશો તો તમારી ખેર નથીઃ મનસુખ વસાવા

રાજપીપળાથી રામગઢ ગામને જોડતો પુલ બનવાની જાહેરાત બાદ કેટલાક બિલ્ડરો અને અધિકારીઓ આ પુલની આજુબાજુ ખેતી કરતા આદિવાસી ખેડૂતો પાસેથી જમીન પડાવી લેવાની ફરિયાદો સાંસદને મળતા આજે ખાતમૂર્હૂતનાં દિવસે જ ઝાટકી નાખ્યા હતા. સરકારી જમીનો રાખી લેવાની કેટલાક બિલ્ડરોની માનસિકતા છે, પરંતુ અહીં કોઇએ ધંધો નથી કરવાનો આપણે સેવા કરવાની છે. પુલની આજુબાજુનાં ખેડૂતોની જમીન ન છીનવાય નહીતર મારે ન કહેવાનું કહેવાઇ જશે. તો ગેરહાજર રહેલા ક્લેકટર કચેરી, પ્રાંતઅધિકારી અને મામલતદારની પણ આકરી ટીકા કરી છે, વાસ્તવમાં મનસુખભાઇએ બિલ્ડર લોબી સાથે સાંઠ-ગાંઠ રાખનાર નેતાઓ અને અધિકારીઓને સુધરી જવા નિર્દેશ આપ્યો છે. આમ પોતાની સરકારમાં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પાડી છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ આદિવાસી જિલ્લો છે અને આદિવાસીઓના હિત માટે હંમેશા લડતો આવ્યો છું, આ માર્ગમાં આવતા આદિવાસીઓની જમીન માટે કોઈ અધિકારી પ્રેસર નહીં કરે અને તેમને અન્યાય થાય એવું કરશે તો ખેર નથી. કહી આધિકારીઓ સામે ખુલ્લી ચીમકી ઉચ્ચારતા અધિકારીઓમાં ફફલાટ ફેલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના નેતાઓ અધિકારીઓ સાથે પાર્ટનરશિપમાં ધંધો કરે છે અને જેવી ફરિયાદો ઉઠી છે અને સાંસદ પાસે પણ ફરિયાદો આવે છે, ત્યારે જાહેરમાં ભરૂચ સાંસદનો આવો આક્ષેપ ભાજપના નેતાઓ અને અધિકારીઓની ઉંઘ ઉડાવી દીધી છે.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here