Friday, June 26, 2026
HomeGujaratBJP સાંસદ મનસુખ વસાવાની ધમકીઃ 'બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓને ઉઘાડા પાડીશ

BJP સાંસદ મનસુખ વસાવાની ધમકીઃ ‘બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓને ઉઘાડા પાડીશ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

‘ભાજપના ફાયર બ્રાન્ડ ગણાતા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રાજપીપળા ખાતે રાજપીપળા-રામગઢ વચ્ચેના પુલનાં ખાતમૂર્હૂતમાં મનસુખ વસાવાએ આદિવાસીઓની જમીન પડાવી લેવાનો મનસુબો ધરાવતા અને ખેડૂતોને ધમકાવી જમીન પડાવી લેવા માંગતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓ ચેતી જજો, હું તમામને ઉઘાડા પાડીશ.

આદિવાસીઓની જમીનો બારોબાર વેચી મારશો તો તમારી ખેર નથીઃ મનસુખ વસાવા

રાજપીપળાથી રામગઢ ગામને જોડતો પુલ બનવાની જાહેરાત બાદ કેટલાક બિલ્ડરો અને અધિકારીઓ આ પુલની આજુબાજુ ખેતી કરતા આદિવાસી ખેડૂતો પાસેથી જમીન પડાવી લેવાની ફરિયાદો સાંસદને મળતા આજે ખાતમૂર્હૂતનાં દિવસે જ ઝાટકી નાખ્યા હતા. સરકારી જમીનો રાખી લેવાની કેટલાક બિલ્ડરોની માનસિકતા છે, પરંતુ અહીં કોઇએ ધંધો નથી કરવાનો આપણે સેવા કરવાની છે. પુલની આજુબાજુનાં ખેડૂતોની જમીન ન છીનવાય નહીતર મારે ન કહેવાનું કહેવાઇ જશે. તો ગેરહાજર રહેલા ક્લેકટર કચેરી, પ્રાંતઅધિકારી અને મામલતદારની પણ આકરી ટીકા કરી છે, વાસ્તવમાં મનસુખભાઇએ બિલ્ડર લોબી સાથે સાંઠ-ગાંઠ રાખનાર નેતાઓ અને અધિકારીઓને સુધરી જવા નિર્દેશ આપ્યો છે. આમ પોતાની સરકારમાં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પાડી છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ આદિવાસી જિલ્લો છે અને આદિવાસીઓના હિત માટે હંમેશા લડતો આવ્યો છું, આ માર્ગમાં આવતા આદિવાસીઓની જમીન માટે કોઈ અધિકારી પ્રેસર નહીં કરે અને તેમને અન્યાય થાય એવું કરશે તો ખેર નથી. કહી આધિકારીઓ સામે ખુલ્લી ચીમકી ઉચ્ચારતા અધિકારીઓમાં ફફલાટ ફેલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના નેતાઓ અધિકારીઓ સાથે પાર્ટનરશિપમાં ધંધો કરે છે અને જેવી ફરિયાદો ઉઠી છે અને સાંસદ પાસે પણ ફરિયાદો આવે છે, ત્યારે જાહેરમાં ભરૂચ સાંસદનો આવો આક્ષેપ ભાજપના નેતાઓ અને અધિકારીઓની ઉંઘ ઉડાવી દીધી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here