
દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાનસ સનાતન ધર્મગાનમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મઅને સત્ય એ સનાતન સપ્તક વર્ણવાયા.સનાતન ધર્મ મૂલ્યોના વૈશ્વિક ચિંતન સાથે રાજધાની દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાષ્ટ્રીય અનેઆંતરરાષ્ટ્રીય મહાનુભાવો લાભ લઈ રહ્યાં છે. શ્રી લોકેશ મુનિના નેતૃત્વ સાથે માનસ સનાતન ધર્મ ગાન કરતાં શ્રી મોરારિબાપુદ્વારા બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક વર્ણવાયા. અહીંયા વિવિધ સાંસ્કૃતિક ઉપક્રમો રજૂથયાં હોય તેમ લોકસાહિત્ય, રાષ્ટ્રસાહિત્ય અને વેદ સંસ્કૃતિની વાત થઈ.માનસ સનાતન ધર્મ રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી સનાતન મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું ગાન થઈરહ્યું છે. રામકથામાં ચોથા દિવસે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મુનિનું મૌન અને ઋષિની વાણી એ સનાતન છે. આજની કથામાંભાર પૂર્વક સંદેશો અપાયો કે, અસ્તિત્વ તૈયાર છે, આપણે તે માટે તૈયાર રહેવું પડશે. તેઓએ વિનમ્રભાવે ઉમેર્યું કે, જીવનસમજવાની કોશિશ કરી છું, તમને પણ સમજાવવા કોશિશ કરું છું.શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારા ફુલ કરમાય નહી, અસ્તિત્વ પોકાર કરે તેવા યુવાન ફૂલોની માંગ ભાર અને ભાવ પૂર્વક કરેલ. વિશ્વ શાંતિ કેન્દ્રના આચાર્ય શ્રી લોકેશ મુનિના માર્ગદર્શન સાથે દિલ્લીમાં યોજાયેલ આ કથામાં પંજાબ રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, રશિયા તથા પનામા દેશના રાજદૂતો ઉપસ્થિત રહ્યા અને શ્રી મોરારિબાપુ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવના સાથેના આ. ઉપક્રમની પ્રશંસા કરી, તેઓ રામાયણજી આરતીમાં પણ જોડાયા.


